પીએમ મોદીને આજે મળશે લોકમાન્ય તિલક પુરસ્કાર, શરદ પવાર હશે મુખ્ય અતિથિ, એમવીએ નેતાઓમાં નારાજગી
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દર વર્ષે ઓગસ્ટમાં લોકમાન્ય તિલકની પુણ્યતિથિના અસર પર આ પુરસ્કાર પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી મોદી આ પુરસ્કારથી સમ્માનિત થનારા 41 માં વ્યક્તિ છે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને મુખ્ય અતિથિ ના રુપમાં આમંત્રિત કર્યા છે.

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીને આજે પૂણેમાં લોકમાન્ય તિલક બાલ ગંગાધર તિલક અે રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી ના પ્રમુખ શરદ પવાર પણ મંચ પર ઉપસ્થિત રહેશે. તેને લઇને મહાવિકાસ અધાડી ના નેતા નારાજ થયા છે.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દર વર્ષે એક ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિના અવસરે પુરસ્કાર પ્રદાન કરે છે. આ પુરસ્કાર તે લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતી અને વિકાસમાં ઉલ્લેખનીય અને અસાધારણ કામ કર્યુ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કારથી સમ્માનિત થનાર 41 માં વ્યક્તિ હશે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને મુખ્ય અતિથિના રુપમાં આમત્રિત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
