PM મોદી આજે કરશે કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન, જાણો લોકોને શું થશે લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે (5 જાન્યુઆરી)એ કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન કરશે.
PM Narendra Modi inaugurate Kochi-Mangaluru natural gas pipeline today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે (5 જાન્યુઆરી)એ કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન કરશે. પીએમ નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી થશે. પીએમ મોદી દ્વારા લેવાનાર આ પગલુ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડના નિર્માણની દિશાાં મહત્વનુ પગલુ હશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રીબીએસ યેદિયુરપ્પા, કેરળના રાજ્યપાલ આરિફ અહેમદ ખાન અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ સાથે હશે. આ ઉપરાંત કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન પણ હાજર રહેશે.

450 કિલોમીટર લાંબી છે આ પાઈપલાઈન
પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પાઈપલાઈન 'એક દેશ, એક ગ્રિડ'ના નિર્માણમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પાઈપલાઈન 450 કિલોમીટર લાંબી છે અને તેનુ નિર્માણ ગેલે કર્યુ છે. આ આખો પ્રોજેક્ટ બનાવવામાં કુલ કિંમત લગભગ 3000 કરોડ રૂપિયા હતી અને તેના નિર્માણથી 12 લાખથી વધુ માનવ-દિવસીય રોજગાર પેદા કર્યા છે. માહિતી મુજબ આ કૉચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈન પાથરવી પોતાનામાં એક પડકાર હતો કારણકે પાઈપલાઈના રૂટમાં 100થી વધુ સ્થળોએ જળ એકમોને પાર કરવા જરૂરી હતી. આ પાઈપલાઈનને ક્ષિતિજ દિશાત્મક ડ્રિલિંગ વિધિ નામની વિશેષ ટેકનિક દ્વારા પાથરવામાં આવી છે.
જાણો કેટલી છે પાઈપલાઈનની ક્ષમતા
પીએમઓએ જણાવ્યુ છે કે આ પાઈપલાઈન પાસે રોજ 12 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરની પરિવહન ક્ષમતા છે. આ કોચ્ચિમાં તરલીકૃત કુદરતી ગેસ ટર્મિનલથી મેંગલુરુ સુધી કુદરતી ગેસ લઈ જશે. વચમાં આ પલક્કડ, મલ્લપુરમ, કોઝિકોડ, કન્નૂર, એર્ણાકુલમ, ત્રિશૂર અને કાસરગોડ જિલ્લાઓ વચ્ચેથી જશે.
જાણો કેવી રીતે આ પાઈપલાઈનથી તમને થશે ફાયદો
કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈન ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ(પીએનજી) તરીકે પર્યાવરણને અનુકૂળ અને સસ્તુ ઈંધણ સપ્લાય કરશે. આ સાથે જ તે પરિવહન ક્ષેત્રનો સંકુચિત કુદરતી ગેસ(સીએનજી) આપશે. આ ઉપરાંત તે પાઈપલાઈન જિલ્લામાં વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોનો પણ કુદરતી ગેસની સપ્લાય કરશે. સ્વચ્છ ઈંધણની ખપતથી વાયુ પ્રદૂષણ પર રોક એ પાઈપલાઈન એર ક્વૉલિટીમાં સુધારો લાવવામાં પણ મદદગાર હશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
