PM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગાર
શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત કરી.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ચમાં લૉકડાઉન લાગુ કર્યુ હતુ. જેના કારણે દેશમાં લાકો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. હવે બેરોજગારોને રાહત આપવા માટે મોદી સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત 6 રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છુ તો હું ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ કે બિહાર રેજિમેન્ટના જવાનોએ લદ્દાખમાં પરાક્રમ બતાવ્યુ. જેના કારણે દરેક બિહારીને આના પર ગર્વ છે. જે વીરોએ બલિદાન આપ્યુ છે તેમના પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પિત કરુ છુ. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા. તેમણે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મે બિહારના અલગ અલગ જિલ્લાઓમાં પાછા આવેલા મજૂરો સાથે વાત કરી. બધાનુ કહેવુ હતુ કે તે રાજ્યથી બહાર જવા નથી ઈચ્છતા, બસ મજબૂરી તેમને ખેંચી જાય છે. હવે આ યોજના શરૂ થવાથી મજૂરોને બીજા રાજ્યોમાં જવાની જરૂર નહિ પડે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જે હેઠળ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં 125 દિવસનુ આ અભિયાન પ્રવાસી શ્રમિકોની મદદ કરશે. આનો ઉદ્દેશ કોરોના સંકટકાળમાં ગ્રામીણ ભારતમાં રોજગાર જાળવી રાખવાનો છે. 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ રૂપિયા ગરીબો અને મજૂરોને આપવામાં આવશે. વળી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ત્રણ મહિના સુધી મફત રાશન આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં મનરેગા હેઠળ કામ કરતા લોકોને હવે 182 રૂપિયાના બદલે 202 રૂપિયા મળશે. આનાથી તેમની આવકમાં 2000 રૂપિયાનો વધારો થશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ ગરીબ વૃદ્ધો, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોને એક-એક હજાર રૂપિયાની અનુગ્રહ રકમ આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
During the lockdown, I interacted through video conference with labourers in different districts after they returned to Bihar. I felt that they don't want to go to other states for work: Bihar CM Nitish Kumar during the launch of 'Garib Kalyan Rojgar Abhiyaan' pic.twitter.com/Y2lp4FkoiQ
— ANI (@ANI) June 20, 2020
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
