For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 17 માર્ચે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 માર્ચે બધા મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. દેશમાં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 માર્ચે બધા મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. દેશમાં વધતા કોરોના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓને સ્થિતિ પર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે.

pm modi

17 માર્ચે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક બપોરે 12.30 વાગે થશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, દિલ્લી, ગુજરાત અને યુપી સહિત ઘણા રાજ્યોમાં એક વાર ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. કોરોના સંક્રમણનો ગ્રાફ ફરીથી ઝડપથી વધવા લાગ્યો છે. એવામાં રાજ્ય સરકારોએ પણ એક વાર ફરીથી કોરોના ગાઈડલાઈન્સ માટે કડકાઈ વધારવાનુ શરૂ કરી દીધુ છે.

વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને પહેલેથી જ એડવાઈઝરી મોકલવાની શરૂ કરી દીધી છે. જો લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના નવા કેસલોમાં 3.8 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 26291 નવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી, દેશમાં કોરોના કેસોની સંખ્યા 1.13 કરોડને પાર થઈ ગઈ છે. વળી, દેશમાં અત્યાર સુધી 1.58 લાખ લોકોના મોત આ બિમારીથી થઈ ગયા છે.

સતત હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં મળ્યા 26291 દર્દીસતત હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં મળ્યા 26291 દર્દી

English summary
PM Modi meet with chief ministers on 17 March to discuss rising Covid cases in some states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X