PM મોદીની હત્યાના કાવતરાનો પર્દાફાશ, NIAને સોપાઇ ઈમેલની તપાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઈમેલની તપાસ NIAને સોંપવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના હવાલાથી વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઈમેલની તપાસ NIAને સોંપવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના હવાલાથી વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યો ઈ મેલ મળ્યો છે.
ઈમેલમાં 20 સ્લીપર સેલનો ઉલ્લેખ
ઈ-મેઈલ કરનારે લખ્યું છે કે, તે આત્મહત્યા કરી રહ્યો છે, જેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થઈ શકે. વડાપ્રધાન મોદીને મારવા તૈયાર છે. તેમની પાસે 20 સ્લીપર સેલછે. આ સાથે તેની પાસે કુલ 20 કિલો આરડીએક્સ પણ છે.
મેલ રાઈટરના ઘણા આતંકવાદીઓ સાથે સંબંધો છે!
ઇ મેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિએ મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે સંબંધ છે.
]નેશનલઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને ધમકીભર્યા ઈ મેલ પણ મોકલ્યા છે. જે ઇ મેઈલ આઈડી પરથી ઈ મેઈલ આવ્યો છે, તેની તપાસ ચાલીરહી છે. આ ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખાને આવ્યો છે.
સુરક્ષા દળોને આપવામાં આવ્યું છે એલર્ટ
ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન મોદીની હત્યાના કાવતરાનો ખુલાસો થયા બાદ સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઈમેલ મોકલનારને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.