વડાપ્રધાનની 'મન કી બાત' થકી રેડિયોના આવ્યા સારા દિવસો
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યમથી પોતાના મનની વાતો લોકો સુધી પહોંચાડવાનું વિચાર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેડિયો પર મનની વાતથી રેડિયોના સારા દિવસો પણ આવી ગયા છે. રેડિયો પર આવનારી જાહેરાતોની કિંમતોમાં વધારો થયો છે.
વડાપ્રધાન આવતીકાલે રેડિયો પર મનની વાત દ્વારા વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા વિશે વાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન રેડિયો પર પ્રચાર માટે અત્યારથી જ 25 લાખ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. રેડિયોના અધિકારીઓનું કહેવું છે કે અમે વડાપ્રધાનના કાર્યક્રમનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો અને તેની પર સૌએ સહમતી દર્શાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને રેડિયો પર મનની વાત કરે છે. તેને ધ્યાનમાં રાખતા રેડિયોએ આ કાર્યક્રમ દરમિયાન પ્રચાર માટે રૂપિયા જમા કરવાનો નિર્ણય લીધો. જેનો રેડિયોને જબરદસ્ત ફાયદો થતો દેખાઇ રહ્યો છે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે મોદીના આ કાર્યક્રમ દરમિયાન પ્રચારના રેટ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન આવનાર પ્રચારથી પણ મોંઘા છે. ભારત પાકિસ્તાન મેચ દરમિયાન પ્રચારની કિંમત લગભગ 10થી 15 હજાર થાય છે. જ્યારે મોદીના મનની વાત કાર્યક્રમ દરમિયાન પ્રચારની કિંમત 2 લાખ રૂપિયા છે.
500થી
25
લાખ
પહોંચી
જાહેરાતની
કિંમત
નોંધનીય
છે
કે
રેડિયો
પર
સાધારણ
કાર્યક્રમ
દરમિયાન
પ્રચાર
આપવાની
કિંમત
માત્ર
500
રૂપિયાથી
લઇને
1500
રૂપિયા
થાય
છે,
જેની
સમય
મર્યાદા
10
સેકંડ
થાય
છે.
વડાપ્રધાન
મોદીના
કાર્યક્રમને
240
રેડિયો
સ્ટેશન
પર
ચલાવવામાં
આવે
છે.
વડાપ્રધાન
મોદીના
આવતી
કાલ
માટેના
'મન
કી
બાત'
કાર્યક્રમ
માટે
105
સેકંડના
સમય
માટે
રેડિયોને
25
લાખ
રૂપિયા
મળ્યા
છે.