કોરોનાની હાલની સ્થિતિ પર પીએમ મોદીની સમીક્ષા બેઠક, કહ્યું- વેક્સીનેશનની ગતિ ધીમી ના પડે
કોરોનાની હાલની સ્થિતિ પર પીએમ મોદીની સમીક્ષા બેઠક, કહ્યું- વેક્સીનેશનની ગતિ ધીમી ના પડે
દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર બેકાબૂ થતી જઈ રહી છે. દરરોજ 3 લાખથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મોતનો ગ્રાફ પણ વધતો જઈ રહ્યો છે. એવી સ્થિતિમાં ઉપજેલા હાલાતો પર આજે પીએમ નરેન્દ્ર મોદીએ વ્યાપક સમીક્ષા કરી. પીએમઓથી મળેલી જાણકારી મુજબ તેમને દેશના જે 12 રાજ્યોમાં 1 લાખથી વધુ સક્રિય મામલા છે, તેમની જાણકારી આપવામાં આવી. આ સાથે જ દેશના જે જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ મોત થયાં છે, તેના વિશે પણ અવગત કરાવવામાં આવ્યા.

દેશમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી સમીક્ષા બેઠકમાં પીએમ મોદીને રાજ્યના સ્વાસ્થ્ય સુવિધાઓના બુનિયાદી માળખા વિશે જણાવવામાં આવ્યું. આ દરમ્યાન પીએમ મોદીએ સ્વાસ્થ્ય સેવાઓના પાયાગત માળખાઓમાં સુધાર કરવા માટે રાજ્યોને મદદ અને માર્ગદર્શન આપવાના આદેશ આપ્યા. આની સાથે જ ત્વરિત અને સમગ્ર અટકાયતી ઉપાયો સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર પણ ચર્ચા કરી.
આની સાથે જ પીએમ મોદીએ દવાઓની ઉપલબ્ધતા વિશે પણ સમીક્ષા કરી. તેમણે રેમડેસિવિર સહિત દવાઓના ઉત્પાદનમાં તેજીથી વધારો કરવા વિશે જાણકારી આપી. પીએમ મોદીએ આગલા કેટલાક મહિનામાં કોરોના વેક્સીનનું ઉત્પાદન વધારવા માટે રસીકરણ અને રોડમેપની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે રાજ્યોને લગભગ 17.7 કરોડ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રસીકરણની ગતિમાં કમી ના આવવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે લૉકડાઉન છતાં નાગરિકોને રસીકરણની સુવિધા આપવી જોઈએ. અને આ કામમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓને અન્ય કોઈ જવાબદારી ના આપવાની પણ વાત કરી છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
