Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Odisha Train Accident: પીએમ મોદી આજે જશે બાલાસોર, દૂર્ઘટના સ્થળની લેશે મુલાકાત, કટકની હૉસ્પિટલ જશે

Coromandel Express Accident News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ઓડિશાના બાલાસોરની મુલાકાત લેશે. જ્યાં તેઓ અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હૉસ્પિટલની મુલાકાત લેશે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ અંગેની માહિતી આપી છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.

narendra modi

ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે અને લગભગ 850 લોકો ઘાયલ થયા છે. આ પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને સેનાને પણ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. પીએમ મોદીએ અકસ્માતને લઈને બેઠક પણ બોલાવી છે.

રેલવેના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ કોરોમંડલ એક્સપ્રેસના કોચ B2 થી B9 પલટી ગયા, જ્યારે એન્જિન અને B1 કોચ પાટા પરથી ઉતરી ગયા. આવી સ્થિતિમાં એસીમાં મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે. ઘટના બાદ H1 અને GS કોચ ટ્રેક પર જ રહ્યા હતા.

કેટલાક મૃતદેહો ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. તેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. ઘટના બાદ એનડીઆરએફની સાથે ભારતીય સેનાની ટીમ પણ પહોંચી હતી. બોગીની નીચે સર્ચ ઓપરેશન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી જો કોઈ ત્યાં ફસાયેલ હોય તો તેને બહાર કાઢી શકાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X