Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 માટે પ્રચાર પોતાની ચરમ સીમા પર છે. આ દરમિયાન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસના લોકો એમ માનીને ચાલે છે કે રાજકારણમાં કંઈ કરવાની જરૂર નથી. જાતિઓના સમીકરણ બેસાડીને, મતોના ઠેકેદારોને પોતાના પક્ષમાં કરી લો. કોંગ્રેસ પાર્ટીને વિકાસમાં વિશ્વાસ નથી.

કોંગ્રેસમાં પ્રવેશ કરતા જ શરૂ થઈ જાય છે જૂઠની પીએચડી

કોંગ્રેસમાં પ્રવેશ કરતા જ શરૂ થઈ જાય છે જૂઠની પીએચડી

જૂઠ ફેલાવવામાં કોંગ્રેસ એક એવી યુનિવર્સિટી બની ગઈ છે જ્યાં પ્રવેશ કરતા જ જૂઠની પીએચડીનો અભ્યાસ શરૂ થઈ જાય છે અને જે વધુ ગુણ લઈને આવે છે તેને પદ અને પદવી આપવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ હિદુત્વના જ્ઞાનીઓને હું પૂછવા ઈચ્છુ છુ, ‘જ્યારે સરદાર પટેલજીએ સોમનાથ મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ લીધો હતો ત્યારે દેશના પહેલા પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિર વિશે કયુ વલણ અપનાવ્યુ હતુ તે આખો દેશ જાણે છે.'

કોંગ્રેસે કહ્યુ હતુ ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી

કોંગ્રેસે કહ્યુ હતુ ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી

પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે હિંદુત્વના જ્ઞાની નામદાર મહોદય, જયારે તમારા માતાજી દિલ્લીમાં સરકાર ચલાવતા હતા ત્યારે યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં લિખિતમાં કહ્યુ હતુ કે ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. શું તમે આનાથી સંમત છો? રેલીને સંબોધતા પીએમ મોદીએ વસુંધરા સરકારમાં કરાયેલા કાર્યો વિશે લોકોને જણાવ્યુ.

મહાત્મા ગાંધીના સહારે કોંગ્રેસ પર વાર

પીએમ મોદીએ જોધપુર રેલીમાં મહાત્મા ગાંધીના સહારે કોંગ્રેસ પર વાર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ ગાંધીજીના સ્વચ્છતાના સપનાને ચૂર ચૂર કર્યુ. તેમણે ગાંધીજીને ભૂલાવી દીધા કારણકે તેમને ખબર હતી કે આ ફકીર ગાંધી લોકોને યાદ રહેશે તો આ નામદાર ગાંધીને કોણ યાદ કરશે. આ સાથે પીએમે કોંગ્રેસ પર બીજા પણ ઘણા મુદ્દે નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જો ભારતે ટુરિઝમ પર જોર આપી પોતાની વિશેષતાઓને ગર્વ સાથે પ્રસ્તુત કરી હોત તો આપણે દુનિયામાં નંબર વન પર હોત.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X