પીએમ મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ કર્યુ ઉદ્ઘાટન, સીએમ યોગી અને સિંધિયા પણ હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 20 ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્ઘાટન કરી દીધુ છે.
કુશીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 20 ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્ઘાટન કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ ઉત્તર પ્રદેશનુ ત્રીજુ સૌથી લાંબા રનવેવાળુ એરપોર્ટ છે. આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંચ પરથી બોલતા કહ્યુ કે દેશમાં 70 વર્ષમાં માત્ર 74 એરપોર્ટ હતા. 7 વર્ષની અંદર ભાજપ સરકારે નવા 54 એરપોર્ટ સ્થાપિત કર્યા છે. આજે ભારતમાં 128 એરપોર્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીનુ કુશીનગરમાં સ્વાગત કર્યુ.

કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન લઘુ ફિલ્મ બતાવવામાં આવી. એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા. આ દરમિયાન બોલતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની એક સભામાં કહ્યુ હતુ કે જે બીજા દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે, ભારત સદૈવ ગૌતમ બુદ્ધના રસ્તે અગ્રેસર રહે છે. આજે અમારા 54 કરોડ બૌદ્ધ ધર્મના ભક્તોને આ કુશીનગર એરપોર્ટ સમર્પિત કરવા માટે પીએમ અહીં ઉપસ્થિત છે.
સિંધિયાએ આ દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ પૂરા વિશ્વને વૈત્રવ કુટંબનો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યુ કે કુશીનગર એરપોર્ટ બધા બૌદ્ધ ધાર્મિકને જોડશે. આ બધો શ્રેય પીએમ મોદીને જાય છે. તેમણે જણાવ્યુ કે દિલ્લી અને કુશીનગર વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત 26 નવેમ્બરથી થશે. વળી, 18 ડિસેમ્બરે કુશીનગરને મુંબઈ અને કોલકત્તા સાથે જોડશે. બે વર્ષ પહેસા પીએમ મોદીએ જે વચન આપ્યુ હતુ તેને વ્યાજ સહિત વિકાસ રૂપે પાછુ આપ્યુ છે.
જાણો કુશીનગર એરપોર્ટમાં શું છે ખાસ
તમને જણાવી દઈએ કે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ 260 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ ગયુ છે. આમાં ટર્મિનલ 3 હજાર 600 વર્ગ મીટરમાં ફેલાયેલુ છે. નવુ ટર્મિનલ ભીડવાળા સમયમાં 300 મુસાફરોને અવર-જવરની સુવિધા આપશે. એરપોર્ટનો રનવે 3.2 કિમી લાંબો અને 45 મીટર પહોળો છે જે યુપીનો સૌથી લાંબો રનવે છે. તેના રનવે પર દર કલાકે 8 ફ્લાઈટ અવર-જવર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એરપોર્ટથી શ્રીલંકા, જાપાન, ચીન, તાઈવાન, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, સિંગાપુર અને વિયેતનામ જેવા દક્ષિણ એશિયાઈ દેશો માટે ડાયરેક્ટ ફ્લાઈટ હશે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
