Chhattisgarh: PM મોદીએ નવા રાયપુરમાં બ્રહ્માકુમારીઓના 'શાંતિ શિખર'નું ઉદ્ઘાટન કર્યું
Chhattisgarh: PM નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નવા રાયપુરમાં બ્રહ્માકુમારીઓના ભવ્ય 'શાંતિ શિખર' (Meditation Center) મેડિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે રાષ્ટ્ર નિર્માણમાં આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને બ્રહ્માકુમારી સંસ્થા સાથેના પોતાના દાયકાઓ જૂના અંગત જોડાણને ભાવનાત્મક રીતે વ્યક્ત કર્યું હતું.

PM મોદીએ તેમના સંબોધનની શરૂઆત આજે સ્થાપના દિવસ ઉજવી રહેલા રાજ્યો, ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડને 25 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપીને કરી હતી.
વિકસિત ભારતનું વિઝન અને બ્રહ્માકુમારીઓની ભૂમિકા
PMએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સફરમાં આધ્યાત્મિક સંસ્થાઓનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
PM મોદીએ કહ્યું: "રાજ્યના વિકાસથી દેશનો વિકાસ એ મંત્ર પર ચાલીને અમે ભારતને વિકસિત બનાવવાની ઝુંબેશમાં જોડાયા છીએ. વિકસિત ભારતની આ મહત્વપૂર્ણ યાત્રામાં બ્રહ્માકુમારીઓ જેવી સંસ્થાની મોટી ભૂમિકા છે. હું જ્યારે પણ તમારી વચ્ચે આવ્યો છું, મેં જોયું છે કે અહીં શબ્દો ઓછા અને સેવા વધુ છે."
'હું તમારો જ છું': PMનો ભાવનાત્મક ઉલ્લેખ
PM મોદીએ બ્રહ્માકુમારીઓ સંસ્થા સાથેના પોતાના લાંબા અંગત જોડાણને યાદ કરીને સ્પષ્ટતા કરી કે તેઓ આ મંચ પર મહેમાન નથી.
PMએ ઉમેર્યું: "હું વીતેલા કેટલાય દાયકાઓથી આપ સૌની સાથે જોડાયેલો છું. હું અહીં અતિથિ નથી, હું તમારો જ છું. મેં આ આધ્યાત્મિક આંદોલનને વટવૃક્ષની જેમ વિસ્તરતું જોયું છે. 2011માં અમદાવાદમાં 'ફ્યુચર ઓફ પાવર' કાર્યક્રમ હોય કે આબુ જવાનું હોય, મારા માટે આ રૂટિન જેવું થઈ ગયું હતું."
PMએ જણાવ્યું કે દિલ્હી આવ્યા પછી પણ સ્વચ્છ ભારત અભિયાન કે જલ જન અભિયાન જેવા રાષ્ટ્રીય અભિયાનોમાં તેમને બ્રહ્માકુમારીઓના પ્રયાસોને નજીકથી જોવાની તક મળી છે.
બ્રહ્માકુમારીઓની આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત
સંસ્થાની આધ્યાત્મિક શક્તિનો રહસ્ય સમજાવતા PM મોદીએ કહ્યું કે તેમાં 'આચરણ'નું મહત્ત્વ છે.
"આપણા ત્યાં કહેવાય છે - આચારઃ પરમો ધર્મઃ, આચારઃ પરમં તપઃ. એટલે કે, બદલાવ ત્યારે જ આવે છે જ્યારે પોતાના કથનને પોતાના આચરણમાં પણ ઉતારવામાં આવે. અહીં દરેક બહેન પહેલા ગહન તપસ્યા અને આધ્યાત્મિક અભ્યાસથી પોતાને પરિષ્કૃત કરે છે. તમારું પહેલું અભિવાદન જ 'ઓમ શાંતિ' હોય છે."
'શાંતિ શિખર'થી વિશ્વ કલ્યાણનો માર્ગ
PMએ ભારતીય સંસ્કૃતિના મૂળ સ્વભાવ 'વિશ્વ કલ્યાણ' પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, "આપણે એ છીએ, જે જીવમાં શિવને જોઈએ છીએ. અમારો હર ધાર્મિક અનુષ્ઠાન જે ઉદ્ઘોષ સાથે પૂરો થાય છે, તે છે- વિશ્વનું કલ્યાણ થાઓ! આજે ભારત આ વૈશ્વિક જવાબદારીને ઈમાનદારીથી પૂરી કરવા પ્રયાસ કરી રહ્યું છે."
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવું 'શાંતિ શિખર' મેડિટેશન સેન્ટર આત્મસંયમથી આત્મજ્ઞાન અને અંતે વૈશ્વિક શાંતિનું માધ્યમ બનશે.












Click it and Unblock the Notifications
