નમામિ ગંગેઃ PM મોદીએ કાનપુરમાં મુખ્યમંત્રીઓ સાથે કર્યુ ગંગા સફાઈનુ નિરીક્ષણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘નમામિ ગંગે' પ્રોજેક્ટની સમીક્ષા માટે આજે કાનપુર પહોંચ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'નમામિ ગંગે' પ્રોજેક્ટની સમીક્ષા માટે આજે કાનપુર પહોંચ્યા. અહીં તેમણે ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને નમન કર્યુ અને નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરી. સમીક્ષા બેઠક બાદ પીએમ મોદી અટલ ઘાટ પહોંચ્યા અને સ્ટીમર દ્વારા ગંગાની સફાઈનુ નિરીક્ષણ કર્યુ. આ દરમિયાન પીએમ મોદી સાથે યુપી સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ હાજર રહ્યા.

પીએમ મોદી શનિવારે કાનપુર પહોંચ્યા, અહીં તેમનુ સ્વાગત યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદી હેલીકોપ્ટરથી ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી પહોંચ્યા. અહીં ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પર માલ્યર્પણ કર્યા બાદ પીએમ મોદી સીએમ યોગી સાથે પગપાળા જ મીટિંગ રૂમ સુધી ગયા. સમીક્ષા બેઠક પહેલા પીએમે અહીં નમામિ ગંગે પ્રદર્શનીનું અવલોકન કર્યુ. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અહીં નમામિ ગંગે પરિયોજનાની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં ગંગાની નિર્મળતા અને અવિરલતા પર મંથન કરવામાં આવ્યુ.
તમને જણાવી દઈએ કે બેઠકમાં બે રાજ્યો યુપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી, બિહાર, યુપીના ઉપ મુખ્યમંત્રી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઉપરાંત ગંગા કિનારે સ્થિત બધા પાંચ રાજ્યોના ઘણા મંત્રી, મુખ્ય સચિવ, પ્રમુખ સચિવ અને એનએમસીજીના મહાનિર્દેશક રાજીવ રંજન મિશ્ર સહિત 40થી વધુ પ્રમુખ લોકો હાજર રહ્યા. આ રાજ્યોમાં ગંગાને નિર્મળ અને અરલ બનાવવા માટે હજુ સુધી જે પણ કાર્ય થયા છે, પીએમ મોદીએ તેમની સમીક્ષા કરી. ત્યારબાદ આવનારા સમયમાં ગંગાને સ્વચ્છ અને તેના કિનારાને સુંદર બનાવવા માટે શું શું કરી શકાય છે, તેની કાર્યયોજના પર પણ ચર્ચા થઈ.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
