PM મોદી આજે નીતિ પંચની બેઠકની કરશે અધ્યક્ષતા, CM અમરિંદર, મમતા બેનર્જી નહિ થાય શામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર 20 ફેબ્રુઆરી) નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે.
PM Narendra Modi to chair meeting of NITI Aayog: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર 20 ફેબ્રુઆરી) નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે. પીએમ મોદી આ બેઠકમાં વીડિયો કૉ્ફરન્સિંગ દ્વારા શામેલ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)ના જણાવ્યા અનુસાર બેઠકમાં એજન્ડામાં કૃષિ, માળખાગત સુવિધા, વિનિર્માણ, માનવ સંશાધન વિકાસ, જમીની સ્તર સેવા વિતરણ અને આરોગ્ય અને પોષણ પર ચર્ચા-વિચારણા શામેલ છે. પીએમઓએ કહ્યુ છે કે આમાં પીએમ મોદી ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(યુટી)ના ધારાસભ્ય, અન્ય સંઘશાસિત પ્રદેશોના ધારાસભ્ય અને લેફ્ટનન્ટ ગવર્નર શામેલ છે. આ છઠ્ઠી બેઠકમાં પહેલી વાર લદ્દાખની પણ એન્ટ્રી થવાની છે.

બેઠકમાં નહિ શામેલ થાય સીએમ અમરિંદર સિંહ, મમતા બેનર્જી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી નીતિ પંચની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શામેલ નહિ થાય. પીટીઆઈ-ભાષા મુજબ કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ છે. તેમની જગ્યાએ બેઠકમાં રાજ્ય નાણામંત્રી મનપ્રીત સિંહ ભાગ લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યુ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ છે અને તેમના નીતિ પંચની બેઠકમાં નહિ આવવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ આ બેઠકમાં શામેલ નહિ થાય. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે મમતા બેનર્જી 20 ફેબ્રુઆરીએ થનારા નીતિ પંચની બેઠકમાં શામેલ નહિ થાય. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મમતા બેનર્જી નીતિ પંચની બેઠકોમાં શામેલ નહોતા થયા. મમતા બેનર્જીનુ કહેવુ છે કે નીતિ પંચ પાસે કોઈ નાણાકીય શક્તિઓ નથી અને તે રાજ્યની યોજનાઓમાં કોઈ મદદ નથી કરી શકતુ.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
