PMએ આપ્યા જસ્ટિસ વર્માના મૃત્યુની તપાસના આદેશ

દેશના પૂર્વ ન્યાયાધિશ, ભ્રષ્ટાચારની સામે એક બુલંદ અવાજ અને દિલ્હી ગેંગરેપ કેસ બાદ મહિલાઓની વિરુદ્ધ અપરાધના મામલામાં ઐતિહાસિક કાયદાના ગડનારા જસ્ટિસ જે એસ વર્મા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે જસ્ટિસ વર્માના મોતના કારણોની તપાસ માટેના આદેશ જારી કર્યા છે. મેડિકલની લાલિયાવાડીની તપાસના આદેશ આપતા વડાપ્રધાને જસ્ટિસ વર્માની પત્નીને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે હું તમારી વાત સાથે સહમત છું કે જો સારવારમાં કચાસના કારણે તેમનું નિધન થયું છે તો તેના માટે જવાબદારી નક્કી થવી જોઇએ. આપના દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દા પર સ્વાસ્થ્ય મંત્રાલય મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરીને યોગ્ય કાર્યવાહી કરશે.
વડાપ્રધાને જસ્ટિસ વર્માની પત્ની દ્વારા મળે પત્ર પણ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલાવી દીધી છે. જુલાઇમાં લખેલા આ પત્રમાં પુષ્પા વર્માએ લખ્યું હતું કે જો જરૂરિયાત હોય તો સારવારના તમામ દસ્તાવેજો અને રિપોર્ટ્સ અમારી પાસે છે. જો આ પ્રકારની બેજવાબદારીથી શીખ લેવામાં આવે તો અમારા સાથે થયેલા અન્યાયથી કંઇક સારું નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે જે જસ્ટિસ વર્માનું મૃત્યુ આ વર્ષે જ 21 એપ્રિલના રોજ ગુડગાંવના જાણીતા ખાનગી હોસ્પિટલમાં થુયું હતું. એ સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે વર્માનું નિધન ઘણા અંગોના નિષ્ક્રિય થઇ જવાના કારણે થયું છે.












Click it and Unblock the Notifications
