PMએ CBIના પ્રમુખની વરણી પર રોકની માંગ ફગાવી

ભજપા નેતા અરૂણ જેટલીએ લખેલા એક પત્રમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લોકપાલના અમલ સુધી પ્રમુખ તપાસ એજન્સીને પ્રમુખ વગર રાખી શકાય નહીં, માટે નવી વરણી પર રોક લગાવી શકાય નહીં.
અરૂણ જેટલી તથા લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજે પ્રધાનમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે સીબીઆઇના નવા નિર્દેશકની વરણી ના થવી જોઇએ કારણ કે રાજ્યસભાની સિલેક્ટ સમિતિએ ભલામણ કરી હતી કે આ પ્રકારની વરણી એક કોલેજિયમ દ્વારા થવી જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એવું કહેવું કે આ વરણી સિલેક્ટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રક્રિયાને રોકવા માટે કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ખોટી બાબત છે, અને તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું કે તેઓ એ વાતનું ખંડન કરે છે કે આ પહેલા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓ લાભ ખાટવા થઇ હતી.












Click it and Unblock the Notifications
