સોશિયલ મીડિયાનો પ્રભાવ કે નરેન્દ્ર મોદીનો? : પ્રણવ મુખરજીએ ટ્વીટર પર ખાતું ખોલ્યું
નવી દિલ્હી, 2 જુલાઇ : ભારતમાં સોશિયલ મીડિયા તેના શ્રેષ્ઠ સમયકાળમાંથી પસાર થઇ રહ્યો છે. કારણ કે સામાન્ય નાગરિક જ નહીં પરંતુ સરકાર પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આનો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રાહ પર ચાલીને ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને મહત્તમ ફાયદો ઉઠાવ્યો છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ભારતીયો અવશ્ય સ્વીકાર કરશે કે નરેન્દ્ર મોદીની જીતમાં 50 ટકા ફાળો સોશિયલ મીડિયાનો છે. આ કારણે જ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પણ તેનો ઉપયોગ નવા નામ સાથે ચાલુ રાખ્યો છે. હવે ટ્વીટર પર નરેન્દ્ર મોદી @PMO પર ઉપલબ્ધ છે.

નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સેલ્ફી મૂકીને જે લોકપ્રિયતા હાંસલ કરી છે તે સોશિયલ મીડિયામાં અભૂતપૂર્વ કહી શકાય. તેઓ સરકારના નવા અભિગમો અંગે ટ્વીટ કરીને લોકોને જાણ કરતા રહે છે. નરેન્દ્ર મોદીના આગ્રહથી સરકારી ખાતાઓ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે માહિતી અને પ્રસારણ મંત્રાલય ઉપરાંત રક્ષા મંત્રાલય ટ્વીટર પર એક્ટિવ થયું છે.
નરેન્દ્ર મોદીની આ બેન્ડવેગનમાં વિવિધ પ્રધાનો જોડાયા છે. આ દિશામાં સૌથી લેટેસ્ટ છે ભારતના પ્રથમ નાગરિક એટલે કે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી. તેમણે 1 જુલાઇ, 2014ના રોજ બપોર બાદ પોતાનું ટ્વીટર ખાતુ શરૂ કર્યું છે. આ ટ્વીટર એકાઉન્ટ લાઇવ થયાના એક જ કલાકની અંદર તેમના પેજ @RashtrapatiBhvnના 10.5 હજાર ફોલોઅર્સ થઇ ગયા છે. આ ટ્વીટર એકાઉન્ટ તેમની કચેરી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને દરેક ટ્વીટ તેમની સહી સાથે કરવામાં આવે છે. આ દ્વારા રાષ્ટ્રપતિ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપશે એવી નાગરિકોને આશા છે.
Rashtrapati Bhavan is now on Twitter. Please follow us for regular updates.
— President of India (@RashtrapatiBhvn) July 1, 2014 First group of 5 Innovation Scholars for “In-Residence programme” arrived in Rashtrapati Bhavan. Wish them a memorable & pleasant stay.
— President of India (@RashtrapatiBhvn) July 1, 2014 Indigenous handicraft & handlooms cherished aspect of Indian life; reflects nation’s diversity & infinite creativity. -President Mukherjee
— President of India (@RashtrapatiBhvn) July 1, 2014 -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
