Eid Milad un Nabi 2021: રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમે દેશવાસીઓને આપી ઈદ-એ-મિલાદની શુભકામનાઓ
આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.
નવી દિલ્લીઃ આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'પેગમ્બર મોહમ્મદના જન્મદિવસ, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર, હું સહુ દેશવાસીઓને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈ-બહેનોને મુબારકબાદ આપુ છુ. આવો, આપણે સહુ પેગમ્બર મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈને, સમાજની ખુશહાલી માટે અને દેશમાં સુખ અને શાંતિ જાળવવા માટે કાર્ય કરીએ.'

રાષ્ટ્રપતિએ ત્રણ ભાષાઓમાં દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ આપી છે. તેમણે હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીમાં ટ્વિટ કર્યુ છે. વળી, પીએમ મોદીએ પણ દેશવાસીઓને પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામના. ચારે તરફ શાંતિ અને સમૃદ્ધિ હોય. દયા અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે. ઈદ મુબારક.'
તમને જણાવી દઈએ કે દર વર્ષે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે મુસ્લિમ લોકો પોતાના ઘરોને વિશેષ રીતે સજાવે છે અને પકવાન બનાવે છે. વળી, આજે કુરાનની પણ ઈબાદત કરવામાં આવે છે.
આજે જલસા અને જુલૂસનુ પણ આયોજન કરવામાં આવે છે. જો કે આ વખતે કોવિડના કારણે ભવ્ય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમછતાં લોકો પોત-પોતાના હિસાબે આજનો દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આજના ખાસ દિવસે ગરીબ લોકોને દાન કરવાની પણ પરંપરા છે. વળી, ક્યાંક-કયાંક ગરીબોને જમાડવા માટે પણ જલસા કાઢવામાં આવે છે. આજે સ્કૂલ-કૉલેજોમાં રજા હોય છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ મુસ્લિમ દેશોમાં પણ આજનો દિવસ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો કુરાનની આયતો દ્વારા પેગમ્બર સાહેબને યાદ કરે છે અને તેમને પોતાના તરફથી કરવામાં આવેલી ભૂલો માટે ક્ષમા પણ માંગે છે અને નેકીની રાહ પર ચાલવાનુ વચન પણ આપે છે.
पैगम्बर मुहम्मद के जन्मदिन, ईद-ए-मिलाद-उन-नब़ी के पावन अवसर पर, मैं सभी देशवासियों, विशेष रूप से हमारे मुस्लिम भाइयों-बहनों को मुबारकबाद देता हूं। आइए, हम सब पैगम्बर मुहम्मद के जीवन से प्रेरणा लेकर, समाज की खुशहाली के लिए और देश में सुख शांति बनाए रखने हेतु कार्य करें।
— President of India (@rashtrapatibhvn) October 19, 2021
Milad-un-Nabi greetings. Let there be peace and prosperity all around. May the virtues of kindness and brotherhood always prevail. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) October 19, 2021
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
