કોર્ટમાં પ્રિયા રમાનીઃ અકબર પર યૌનશોષણનો આરોપ લગાવવા પાછળ કોઈ દ્વેષપૂર્ણ હેતુ નહોતો
પત્રકાર પ્રિયા રમાનીએ ગુરુવારે અદાલતને કહ્યુ કે મે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌનશોષણના આરોપ દ્વેષપૂર્ણ હેતુથી નહોતા લગાવ્યા.
એમજે અકબર માનહાનિ મામલે પત્રકાર પ્રિયા રમાની અને તેમના દોસ્તોની સાક્ષી દિલ્લીની એક અદાલતમાં પૂરી થઈ ગઈ છે. એક કલાકથી વધુ સમય સુધી અકબરના વકીલ ગીતા લૂથરાએ તેમની પૂછપરછ કરી. કેસની સુનાવણી દરમિયાન પત્રકાર પ્રિયા રમાનીએ ગુરુવારે અદાલતને કહ્યુ કે મે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌનશોષણના આરોપ દ્વેષપૂર્ણ હેતુથી નહોતા લગાવ્યા. માનહાનિ કેસમાં સુનાવણીની આગામી તારીખ 10 ડિસેમ્બર છે.

ગુરુવારે એમજે અકબર દ્વારા દાખલ માનહાનિ કેસમાં પોતાની પૂછપરછ દરમિયાન રમાનીએ કહ્યુ કે એ કહેવુ ખોટુ રહેશે કે તેમના આરોપોએ ફરિયાદકર્તાની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યુ છે. રમાની અને તેમની દોસ્ત નીલોફરનુ ક્રોસ એક્ઝામિન અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ) વિશાલ પાહુજા સમક્ષ આયોજિત કરવામાં આવ્યુ હતુ કારણકે આ કેસ એસીએમએમ સમર વિશાલ દ્વારા તેમના ન્યાયાલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યો છે.
રમાનીએ પૂછપરછ દરમિયાન કહ્યુ કે એ કહેવુ ખોટુ ગણાશે કે એક પત્રકાર તરીકે મારુ આચરણ અનૈતિક રહ્યુ છે. એવુ કહેવામાં આવ્યુ કે મે ના તો પોતાના સ્ત્રોતોની ઓળખ કરી હતી અને ના શ્રેય આપ્યો હતો. આ પહેલા સમર વિશાલ સામે નીલોફરનુ નિવેદન નોંધવમાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે રમાનીના ઉત્પીડનની કથિત ઘટનાને સંક્ષેપમાં જણાવી હતી.
રમાનીએ અકબર પર મુંબઈની એક હોટલના રૂમમાં યૌનદુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અકબરે મી ટુ અભિયાનમાં તેમનુ નામ ઢસડી લેવાયા બાદ રમાની સામે એક માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આરોપો બાદ વિદેશી બાબતો માટે તત્કાલીન રાજ્ય મંત્રી અકબરને પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. પત્રકાર પ્રિયા રમાનીએ સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર તરફથી દાખલ માનહાનિ કેસમાં એક સાક્ષી તરીકે પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
