For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ પર હવે દેહવ્યાપારનું રેકેટ ચલાવવાનો કેસ

|
Google Oneindia Gujarati News

જોધપુર, 26 ઓક્ટોબર: જોધપુર પોલીસ શારીરિક શોષણના આરોપી આસારામની વિરુદ્ધ સોમવાર સુધી ચાર્જશીટ દાખલ કરી શકે છે. આસારામને ન્યાયિક હિરાસત આજે પૂરી થઇ રહી છે. શુક્રવારે કોર્ટે આસારામની ન્યાયિક હિરાસત વધુ એક દિવસ માટે વધારી દીધી હતી. ચાર્જશીટમાં પોલીસ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇ પર પોતાના આશ્રમોથી દેહવ્યાપારનું રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ આસારામને આઇપીસીની ધારા-370 અંતર્ગત ચાર્જશીટ કરી શકે છે. આ ધારા અંતર્ગત જો કોઇ શખ્શ કોઇ સગીરની સોદેબાજી કરે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. જો આસારામ પર આ આરોપ સિદ્ધ થઇ જશે તો તેમને જનમટીપ પણ થઇ શકે છે.

asaram
આસારામ પર શાહજહાંપુરની એક સગીર યુવતીએ શારિરીક શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારથી જ આસારામ પોલીસની કેદમાં છે. તેમની મુશ્કેલીઓ એ સમયે વધી ગઇ જ્યારે સુરતની બે બહેનોએ તેમની પર અને તેમના પુત્ર નારાયણ સાઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો.

આ મામલામાં અમદાવાદ પોલીસે જોધપુર પોલીસ પાસેથી તેમની જપ્તી લીધી હતી અને કેટલાંક ટેસ્ટ અને તેમની પૂછપરછ કર્યા બાદ તેમને જોધપુર પોલીસને પરત સોંપી દેવાયા હતા. જ્યારે નારાયણ સાઇ ફરાર થઈ ગયા છે.

English summary
Prostitution case file against asaram in jodhpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X