6 હજાર મહિલાઓને આંગણવાડીમાં મળશે નોકરી, અમે 4 ગેરેન્ટીઓ પૂરી કરી દીધીઃ પંજાબ CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે રક્ષાબંધનના શુભ અવસર પર આજે હું મારી બહેનોને એક ખાસ ભેટ આપી રહ્યો છુ. અમે 6 હજાર આંગણવાડી કાર્યકરોની ખાલી જગ્યાઓ ભરીશુ. જેઓ લાયકાત ધરાવતા હોય અને જેમને રોજગાર જોઈએ છે તેઓ ડિગ્રી અનુસાર આ માટે ફોર્મ ભરી શકે છે.

મુખ્યમંત્રી માને કહ્યુ, 'અમે મહિલાઓને આર્થિક મદદ આપવાનુ વચન આપ્યુ હતુ અને અમે તે વચન પૂરુ કર્યુ. હવે રોજગારી આપીશુ. મારી બહેનો જે નોકરી માટે લાયક છે તેમણે ક્યાંય ભટકવુ નહિ પડે. હવે તકો છે, કોઈ લાંચ નથી, કોઈ ભલામણ નથી. અમે યોગ્યતાના આધારે નોકરી આપીશુ.' તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માને બાબા બકાલા સાહિબ ખાતે રખર પુનિયાના અવસર પર આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે AAP સરકારને છ મહિના પણ પૂરા થયા નથી અને સરકારે 4 ગેરંટી પૂરી કરી છે. અમે કેટલીક એવી ગેરેન્ટી પણ પૂરી કરી હતી જે પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમના એજન્ડામાં ન હતી.
મુખ્યમંત્રી માન એક તરફ પંજાબના લોકોનો AAP સરકારમાં વિશ્વાસ જાળવી રાખવા માટે આગામી બે-ત્રણ મહિનામાં મહિલાઓને નોકરી આપવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના બેરોજગારોને પણ આગમી દિવસોમાં તેમની યોગ્યતા મુજબ નોકરી આપવામાં આવશે તેવો ભરોસો આપ્યો. આ દરમિયાન AAPના એક નેતાએ માનની પ્રશંસા કરતા કહ્યુ કે તેમની સરકારની પ્રથમ રક્ષાબંધનના અવસર પર તેમણે રાજ્યમાં આંગણવાડીમાં 6 હજાર મહિલાઓને નોકરી આપવાની જાહેરાત કરી છે.
આ દરમિયાન શિરોમણી અકાલી દળના વિસર્જન પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર પણ મુખ્યમંત્રી માને વાત કરી. મુખ્યમંત્રીએ કહ્યુ કે આ તેમનો આંતરિક મામલો છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમના બત્રીસ દાંત છે અને શિરોમણી અકાલી દળ વિશે અમારી વાત સાચી સાબિત થઈ રહી છે. શિરોમણી અકાલી દળ 1920માં શરૂ થયુ હતુ અને 100 વર્ષ પછી હવે ખતમ થઈ જશે. આજે તેની આંતરિક સ્થિતિ જોતા લાગે છે કે તે લુપ્ત થવાના આરે છે કારણ કે તેમનો ગ્રાઉન્ડ સપોર્ટ ખતમ થઈ ગયો છે.
ਅੱਜ ਰੱਖੜ ਪੁੰਨਿਆ ਦੇ ਪਾਵਨ ਮੌਕੇ ਮੇਰੀਆਂ ਭੈਣਾਂ ਨੂੰ ਇੱਕ ਤੋਹਫ਼ਾ ਦਿੱਤਾ…6 ਹਜ਼ਾਰ ਆਂਗਨਵਾੜੀ ਵਰਕਰਾਂ ਦੀਆਂ ਖਾਲੀ ਪਈਆਂ ਅਸਾਮੀਆਂ ਭਰਾਂਗੇ…ਡਿਗਰੀਆਂ ਮੁਤਾਬਕ ਮੇਰੀਆਂ ਭੈਣਾਂ ਨੌਕਰੀਆਂ ਦੇ ਫਾਰਮ ਭਰ ਸਕਦੀਆਂ ਨੇ…ਨਾ ਕੋਈ ਰਿਸ਼ਵਤ, ਨਾ ਕੋਈ ਸਿਫ਼ਾਰਿਸ਼ ਚੱਲੇਗੀ…ਯੋਗਤਾ ਦੇ ਆਧਾਰ ‘ਤੇ ਨੌਕਰੀਆਂ ਦੇਵਾਂਗੇ… pic.twitter.com/l3c4iV6odP
— Bhagwant Mann (@BhagwantMann) August 12, 2022
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
