Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબઃ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી, થશે તપાસ- પ્રદર્શનકારી ખેડૂતના મોત પર બોલ્યા સીએમ ભગવંત માન

Bhagwant Mann on Protesting Farmer Death: MSPને લઈને ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ દરમિયાન એક યુવા ખેડૂતનું મોત થયું છે. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે અમે મૃતક ખેડૂતના પરિવાર સાથે છીએ.

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકાર ભટિંડાના 21 વર્ષીય ખેડૂતના પરિવારને ટેકો આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે વિરોધ પ્રદર્શન દરમિયાન હરિયાણા બોર્ડર પર યુવા ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સંગરુર-જીંદ બોર્ડર પર ખનૌરી ખાતે હરિયાણા પોલીસ સાથેની અથડામણ દરમિયાન 21 વર્ષીય શુભકરણ સિંહનું મૃત્યુ થયું હતું.

Bhagwant Mann

કેટલાક ખેડૂતોનો આરોપ છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા ટીયર ગેસના ગોળીબારમાં તેમનું મોત થયું હતું. મીડિયાને સંબોધતા સીએમ માને કહ્યું કે શુભકરણ સિંહના મૃત્યુની તપાસ કરવામાં આવશે. જવાબદાર અધિકારીએ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે શુભકરણ ત્યાં તસવીરો ક્લિક કરવા ગયો ન હતો. તે પોતાના પાકના યોગ્ય ભાવની માંગ કરવા આવ્યો હતો. તેમની સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ કરશે.

બીજી તરફ, હરિયાણા પોલીસે યુવાન ખેડૂતના મૃત્યુની પુષ્ટિ કરી નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આજે ખેડૂત આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. આ માત્ર એક અફવા છે. દાતા સિંહ ખાનોરી બોર્ડર પર બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ થયાના અહેવાલ છે. જેની સારવાર ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X