Punjab Election result 2022: CM બનવા જઈ રહેલ ભગવંત માનનુ સંબોધન, સિદ્ધુ-કેપ્ટન વિશે કહી આ વાત

આપ પાર્ટીની મોટી જીત વચ્ચે ભગવંત માને મીડિયાને સંબોધિત કરી છે.

સંગરુરઃ પંજાબમાં આ વખતે ભગવંત માનના શિરે મુખ્યમંત્રી પદનો તાજ પહેરવાનો નક્કી થઈ ગયો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી બહુ મોટા બહુમતથી ચૂંટણી જીતી રહી છે. ભગવંત માને પોતાના હરીફને 45000થી વધુ મતોથી હરાવ્યા છે. સંગરુર સંસદીય સીટથી ભગવંત માન આપની ટિકિટ પર બે વાર સાંસદ ચૂંટાયા છે. ધુરી વિધાનસભા ક્ષેત્ર આ જિલ્લામાં આવે છે. પાર્ટીની મોટી જીત વચ્ચે ભગવંત માને મીડિયાને સંબોધિત કરી છે.

AAP

મીડિયાને સંબોધિત કરીને આપ નેતા ભગવંત માને કહ્યુ કે વિરોધી પાર્ટીઓના નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને મારા પર અંગત ટિપ્પણીઓ કરી, અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો. તેમની શબ્દાવલી તેમને મુબારક. તેમને માફ કરી દો પરંતુ હવેથી પંજાબના પોણા ત્રણ કરોડ પંજાબીઓની ઈજ્જત કરવી પડશે.

માને આગળ કહ્યુ કે આપણે સહુએ મળીને પંજાબને ચલાવવાનુ છે, પહેલા પંજાબ મોટા-મોટા દરવાજાવાળા ઘરોથી ચાલતુ હતુ પરંતુ આજ પછી પંજાબ ગામડાઓથી ચાલશે, વાડોથી ચાલશે, શહેરોથી ચાલશે. મોટા વાદળો હારી ગયા, સુખબીર બાદલ જલાલાબાદથી હારી ગયા. કેપ્ટન સાહિબ પટિયાલાથી હારી ગયા. સિદ્ધુ અને મજીઠિયા બંને હારી રહ્યા છે. ચન્ની સાહેબ બંને સીટો પર હારી ગયા છે. હું આપ સહુનો આભાર માનુ છુ.

માને કહ્યુ કે તેઓ કાલે પદના શપથ લેશે. શપથ સમારંભ પણ રાજભવનના બદલે શહીદે આઝમ ભગતસિંહના પૈતૃત ગામ ખટકડ કલામાં થશે. આ પહેલા સીએમ પદના શપથ રાજભવનમાં થતા રહ્યા છે શપથ લેતા પહેલા માન શહીદી સ્મારક પર માથુ ટેકવવા પણ જશે.

પંજાબમાં શરુઆતમાં આગળ રહ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યુ છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ, 'આ ઈંકલાબ માટે પંજાબના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન.' તેમણે આગળ કહ્યુ કે ગોવામાં આપે બે સીટો જીતી છે. આ ગોવામાં ઈમાનદાર રાજનીતિની શરુઆત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X