કુદરતી આફતોથી ખેડૂતોને બચાવવા પંજાબ સરકાર એક્શનમાં, રાજ્ય સરકાર પુરી તૈયારીઓ કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. સરકારી કર્મચારીઓથી લઈને ખેડૂતો સુધી, તમામ માટે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર ખેડૂતો માટે એક્શમમાં દેખાઈ રહી છે.
પંજાબ : પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. સરકારી કર્મચારીઓથી લઈને ખેડૂતો સુધી, તમામ માટે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર ખેડૂતો માટે એક્શમમાં દેખાઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબ સરકાર રાજ્યના ખેડૂતોને કુદરતી આફતોથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે કડક વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પંજાબ ભવનમાં ખેડૂતો સાથે બેઠક દરમિયાન કહ્યું કેસ, રાજ્ય સરકાર આ કામમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે તમામ ડેપ્યુટી કમિશનરોને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય આકલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવંત માને કહ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.
ભગવંત માને આગળ કહ્યું કે, જીવાતોના હુમલાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને પણ પૂરતું વળતર આપવામાં આવશે. સરકાર રાજ્યના ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ભગવંત માને કહ્યું કે, સંકટની આ ઘડીમાં ખેડૂતોને મદદ કરવી એ સરકારની ફરજ છે.
અન્ય એક મુદ્દાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, ખેડૂતોને તેમની એક ઇંચ પણ જમીનના સંપાદન માટે પૂરતું વળતર આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ભગવંત માને કહ્યું કે આ અંગે ડેપ્યુટી કમિશનરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ભગવંત માને ફરીથી બજારોમાં ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વાતને દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના સોના જેવા પાકને બજારમાં પહોંચતાની સાથે જ ખરીદવાની વ્યવસ્થા કરી છે. ભગવંત માને જણાવ્યું કે, મંડીઓમાં અનાજની સરળ ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરી આપી કે, ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલી એફઆઈઆર દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેશે. આ મુદ્દો રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો વિરુદ્ધ FIR નોંધી હતી. જેને દુર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ભગવંત માને કહ્યું કે ખેડૂતોને રાહત આપવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્ય સરકાર વીજ વિતરણના ખાનગીકરણની સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રના આવા કોઈપણ પગલાનો સખત વિરોધ કરશે. ભગવંત માને કહ્યું કે, ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બિલના વિરોધમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને જણાવ્યું કે, રાજ્ય સરકાર ડાંગરની પરાળીનાવ્યવસ્થાપન માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ ડાંગરની પરાળી ન સળગાવીને આ ઉમદા કાર્યમાં રાજ્ય સરકારને સહકાર આપવો જોઈએ. ભગવંત માને કહ્યું કે રાજ્યના પર્યાવરણને બચાવવું એ સમયની જરૂરિયાત છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
