પંજાબમાં શહીદોના નામ પર હશે સ્કૂલોના નામ, શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેંસનુ એલાન
પંજાબ સરકારે હવે રાજ્યની તમામ સરકારી શાળાઓને શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.
Punjab News: પંજાબ સરકારે હવે રાજ્યની તમામ સરકારી શાળાઓને શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. પંજાબના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર હરજોત સિંહ બેંસે કહ્યુ કે 80 ટકાથી વધુ પંજાબીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન આપ્યુ છે.
હરજોત સિંહ બેંસે કહ્યુ કે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે મોટી સંખ્યામાં પંજાબીઓએ સરહદોની રક્ષા કરતી વખતે બલિદાન આપ્યુ છે. 75માં સ્વતંત્રતા દિવસ અમૃત મહોત્સવના અવસર પર પંજાબ સરકારે સરકારી શાળાઓને શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે જેથી આવનારી પેઢીઓ તેમના વિશે જાણી શકે.
જે શાળાઓ શહીદો/સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવામાં આવશે તે શાળાઓ માટે ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ ઠરાવ પસાર કરશે અને શહીદો/સ્વતંત્રતા સેનાનીઓની જીવનચરિત્ર નોંધ અને સરકાર દ્વારા તેમની શહીદી બદલ આપવામાં આવતા મેડલની માહિતી શાળાના આચાર્યના માધ્યમથી આગામી એક મહિનામાં રાજ્યના હેટ ક્વાર્ટર પર મોકલવામાં આવશે.