જિંદગીઓ બચાવનાર લોકોને જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે માન સરકાર, પંજાબમાં શરુ થયુ આ અભિયાન
જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે.
નવાંશહરઃ જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે. આના માટે એક પહેલ શરુ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યના બધા ડીઈઓ(સેકન્ડરી અને પ્રાઈમરી)ને પત્ર લખીને પોત-પોતાના જિલ્લાઓમાં આવા લોકોને શોધીને તેમની માહિતી માંગી છે. ડીઈઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાના જિલ્લામાં આવા લોકોની માહિતી એકઠી કરીને કોઈ પણ સ્થિતિમાં 25 ઓગસ્ટ પહેલા વિભાગને મોકલે.

સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તમે તેનો જીવ બચાવવામાં મદદ કરી હોય તો આવા કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક છે. આ પુરસ્કાર કોઈનો જીવ બચાવવા માટે મરણોત્તર પણ આપી શકાય છે. પંજાબમાં એવા ઘણા લોકો છે જેમણે બીજાના જીવ બચાવ્યા છે. રાજ્ય સરકાર જીવન રક્ષા પદક દ્વારા આવા લોકોનુ સન્માન કરશે.'
સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યુ છે કે જે લોકોએ જીવ બચાવ્યા છે તેઓ www.awards.gov.in પર જઈને ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. તેમના સાહસિક કાર્યોની માહિતી વધુમાં વધુ 200 શબ્દોમાં આપવાની રહેશે. જેમાં પ્રભાવિત વ્યક્તિ અને તેની મદદ કરનાર વ્યક્તિની પણ માહિતી આપવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 ઓગસ્ટ પહેલા 2022 માટે જીવન રક્ષા પદક પુરસ્કાર માટે અરજીઓ માંગી છે.
સરકારી પ્રવક્તાએ કહ્યુ કે જીવન રક્ષા પુરસ્કાર અશોક ચક્રની એક શાખા છે. તેમણે કહ્યુ કે જીવન રક્ષા પદક એવા લોકોને આપવામાં આવે છે જેઓ ડૂબવાથી, અકસ્માતના કેસ, આગની ઘટનાઓ, વીજળી પડવાથી લોકોને બચાવવામાં મદદ કરે છે. સરકારે ડીઈઓ સહિત તમામ સરકારી વિભાગોના વડા સહિત તમામ ડીસીને પત્ર પાઠવ્યો છે. આ માટે ઈચ્છુક લોકોએ ભલામણ કરતા પહેલા લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. જેમની પાસે પહેલાથી જ લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ છે તેઓ સીધા જ પોર્ટલને એક્સેસ કરી શકે છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
