Punjab News: મધ્યપ્રદેશમાં ભગવંત માનનો ભવ્ય રોડ શો, ઉમટી જનમેદની
Punjab News: દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પણ પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસને સફળ બનાવવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મધ્યપ્રદેશમાં રોડ શો કર્યો હતો.
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ રોડ શોમાં ભાગ લીધો હતો. રોડ શો દરમિયાન લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હું દેશનો નાગરિક છું, મારી ફરજ છે કે, મધ્યપ્રદેશના લોકોને જણાવું કે, અમારી સરકાર પંજાબમાં શું કરી રહી છે.

ભગવંત માને જણાવ્યું હતું કે, તમને સારું શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે, તમને સારી આરોગ્ય સુવિધાઓ મેળવવાનો પણ અધિકાર છે.
તમારા બાળકોને પણ રોજગાર મળવો જોઈએ, તમારી જગ્યાએ પણ વિકાસ થવો જોઈએ. બાળકોને સારું શિક્ષણ મળશે ત્યારે જ દેશ આગળ વધશે.
ભગવંત માનના મધ્યપ્રદેશ રોડ શોની તસવીર શેર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માને મધ્યપ્રદેશના મહારાજપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણમાં ભવ્ય રોડ શો કર્યો હતો.
ભગવંત માને જણાવ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટીના લોકો વન નેશન વન ઇલેક્શન કહે છે, પરંતુ અમે વન નેશન વન એજ્યુકેશન કહીએ છીએ, અમારી પ્રાથમિકતા દરેક બાળકને સામાન્ય અને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવાની અને દરેક વિભાગને સશક્ત કરવાની છે. અમે 1.5 વર્ષમાં પંજાબમાં 37,000 થી વધુ સરકારી નોકરીઓ આપી છે.
સામાન્ય જનતાનો આ ઉત્સાહ દર્શાવે છે કે, મધ્યપ્રદેશ હવે આમ આદમી પાર્ટી સાથે પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભગવંત માનના રોડ શોની જે તસવીરો સામે આવી છે, તેમાં જોઈ શકાય છે કે, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રોડ સંપૂર્ણપણે લોકોથી ભરેલો છે. ભગવંત માન લોકોની વચ્ચે કારમાંથી બહાર આવીને અભિવાદન કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
