Punjab News : આદમપુર એરપોર્ટથી ટૂંક સમયમાં ફ્લાઈટ્સ શરૂ થશે
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદમપુર એરપોર્ટ પરથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આદમપુર એરપોર્ટ વિશે ખૂબ જ સારી માહિતી શેર કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી માને ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, આજે નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પંજાબમાં આદમપુર, હલવારા, ભટિંડા અને પઠાણકોટ એરપોર્ટના ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી માને વધુમાં જણાવ્યું હતું કે, સારા સમાચાર એ છે કે આદમપુર એરપોર્ટથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને હલવારા ખાતે બની રહેલા ભવ્ય ટર્મિનલનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. દેશનું મુખ્ય શહેર દરેક શહેર સાથે જોડવા જઇ રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
