Punjab News : ફેક સર્ટિફિકેટ બનાવવાવાળા પર માન સરકારની લાલ આંખ, લીધો મોટો નિર્ણય
Punjab News : પંજાબમાં બનાવટી અનુસુચિત જાતિના સર્ટિફિકેટ બનાવવાવાળાને હવે ચેતી જવાની જરુર છે. ઘણા લોકો આવા બનાવટી સર્ટીફિકેટ બનાવીને યોગ્ય ન હોવા છતા સરકારી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવે છે.
કેબિનેટ મંત્રી ડૉ બલજીત કૌરે આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

પંજાબમાં બનાવટી SC પ્રમાણપત્ર મેળવનારાઓએ સાવચેત રહેવાની જરૂર છે. ઘણા લોકો એવા છે કે, જેઓ નકલી પ્રમાણપત્રો બનાવીને લાયક ન હોવા છતાં સરકારની અનેક યોજનાઓનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌરે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌરે અધિકારીઓને આ મામલાની તપાસ કરવા કડક સૂચના આપી છે અને બનાવટી પ્રમાણપત્રો બનાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી ઝડપી કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિભાગને બનાવટી પ્રમાણપત્રો બનાવવાની ઘણી ફરિયાદો મળી રહી છે, જેના માટે હવે દર મહિને સમીક્ષા બેઠક યોજાશે.












Click it and Unblock the Notifications
