Punjab News : PSPCLએ સૌથી વધુ પાવર માંગ પૂરી કરી, માન સરકારે મેળવી મોટી સિદ્ધિ
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
આ વચ્ચે પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહ ETO એ જણાવ્યું હતું કે, PSPCL દ્વારા 21 જૂનના રોજ ઉત્તરીય ગ્રીડમાંથી કુલ 8716 મેગાવોટ મેળવીને અત્યાર સુધીની સૌથી વધુ 14960 મેગાવોટની વીજ માંગ પૂરી કરવામાં આવી હતી.

ઉર્જા મંત્રી હરભજન સિંહ જણાવ્યું હતું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર રાજ્યમાં પ્રમાણભૂત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા અને સમગ્ર રાજ્યમાં ડાંગરની વાવણી માટે કૃષિ ફીડરને દિવસના 8 કલાક અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ઔદ્યોગિક, બિન-રહેણાંક પુરવઠા (NRS) અથવા ઘરેલું વિભાગો પર કોઈ પાવર કટ લાદવામાં આવી નથી. આ અંગે વધુ માહિતી આપતા હરભજન સિંહ ETOએ જણાવ્યું હતું કે, પંજાબ સરકારે ગયા વર્ષની જેમ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં ડાંગરની વાવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ડાંગરની વાવણી 10 જૂનથી શરૂ થઈ હતી, જ્યારે બાકીના ભાગો 16, 19 અને 21 જૂનના રોજ આવરી લેવામાં આવ્યા હતા.
હરભજન સિંહ ETOએ જણાવ્યું હતું કે, આ વાવણી પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રાજ્યને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન પીએસપીસીએલ 14000 મેગાવોટની ટોચની માંગને સફળતાપૂર્વક પૂરી કરી રહી છે.
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા કેન્દ્રીય સેક્ટરમાંથી વધારાની 1000 મેગાવોટની ફાળવણી ન કરવાને કારણે પાવરની જરૂરિયાતને પહોંચી વળવા એક્સચેન્જમાંથી પાવર ખરીદવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
