Punjab : પંજાબીઓ વિદેશથી પરત ફરી રહ્યા છે, આ તેમની ઈચ્છા છે-ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે પઠાણકોણ ખાતે એનઆરઆઈ બેઠક યોજાઈ હતી. અહીં મુખ્યમંત્રીએ પંજાબના યુવાનોને લઈને વાત કરી.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબીઓ આખી દુનિયામાં રહે છે અને તેઓ આખી દુનિયામાં સફળ છે. તેમણે કહ્યું કે, પંજાબીઓ શારીરિક રીતે અહીંથી નીકળી ગયા છે પરંતુ તેમનું મન અહીં છે.

Bhagwant Maan

તેમણ કહ્યું કે, તે સિસ્ટમથી નારાજ થયા હતા, હવે અમે અહીં સિસ્ટમને ઘણી હદ સુધી ઠીક કરી દીધી છે. હવે તેઓ પાછા આવવા લાગ્યા છે. પંજાબીઓ હવે અહીં બિઝનેસ કરવા માંગે છે. પહેલા અહીં ભ્રષ્ટાચાર હતો, હવે એ બધું ખતમ થઈ ગયું છે.

આ બેઠક પહેલા સીએમ ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજથી અમે પંજાબમાં બિન-નિવાસી પંજાબીઓ માટે એનઆરઆઈ મીટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં એનઆરઆઈના પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

પ્રથમ એનઆરઆઈ મીટિંગ પઠાણકોટ(મિની)ના ચમરૌદ ગામમાં યોજાઈ હતી. આ બેઠકનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે બહાર રહેતા પંજાબીઓને રંગીન પંજાબના કેટલાક અલગ-અલગ રંગો બતાવી શકાય.

એનઆરઆઈ વિભાગના મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, પંજાબીઓનું વિદેશથી આવવાનું સ્વાગત છે. હવે અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પહેલા અહીં ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ હવે બધું ખતમ થઈ ગયું છે. સીએમ માને કહ્યું કે, અમે સિસ્ટમને ઘણી હદ સુધી ઠીક કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X