પંજાબ ટૂંક સમયમાં લાગુ કરશે પાક વીમા યોજના, બજેટ સત્ર દરમિયાન થઈ શકે છે એલાન
પંજાબ સરકારે આગામી વાવણી સિઝન માટે 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' લાગુ કરવા માટે વહેલી સમયમર્યાદા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ સરકારે આગામી વાવણી સિઝન માટે 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' લાગુ કરવા માટે વહેલી સમયમર્યાદા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સરકાર આ યોજનાને 2024ના ચોમાસાની સિઝનથી લાગુ કરવાનુ વિચારી રહી હતી. ચોમાસુ પાકો જેમ કે ડાંગરનુ વાવેતર જૂનની આસપાસની શરૂઆતમાં થાય છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સિઝનના અંતે લણણી કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે આ યોજના લાગુ કર્યાના આઠ વર્ષ બાદ રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારે આ વર્ષે 700 કરોડ રૂપિયા ખર્ચીને તેને લાગુ કરવાની યોજના બનાવી છે. એવી શક્યતા છે કે નાણામંત્રી હરપાલ સિંહ ચીમા 10 માર્ચે આની જાહેરાત કરી શકે છે. આ સંદર્ભે પંજાબના મુખ્ય સચિવ વી.કે. જંજુઆનુ કહેવુ છે કે તેમણે ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
જંજુઆએ કહ્યુ કે સરકાર આ યોજના લાગુ કરવા માંગે છે જેથી ખેડૂતોને નુકસાનીમાંથી બચાવી શકાય. તેમણે કહ્યુ કે કપાસ અને ઘઉંના ઉત્પાદકોને છેલ્લી બે સિઝનમાં ભારે નુકસાન થયુ છે. તેમણે કહ્યુ કે યોજનામાં ફેરફાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી તે પંજાબના ખેડૂતોની જરૂરિયાતોને અનુરૂપ હોય.












Click it and Unblock the Notifications
