કેબિનેટમાં ફેરફાર માટે પ્રધાનમંત્રીને મળ્યા રાહુલ ગાંધી

જોકે અધિકારીક રીતે ખુલાસો કરાયો નથી કે આ મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. રાહુલની પ્રધાનમંત્રી સાથે થયેલી મુલાકાત પહેલાં ગઇકાલે પ્રધાનમંત્રી અને સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ફરી એકવાર ગરમ થઇ છે.
રાહુલ સંગઠન અને સરકારમાં વ્યાપક ભૂમિકાઓ નિભાવે, એ વાતની માંગ સતત પાર્ટીમાં ઉઠતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓના સરકારમાંથી હટ્યા બાદથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો થઇ રહી હતી. તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ અને દ્રમુકના બે સદસ્યોના હટવાથી મંત્રીમંડળમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી આ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પણ મુલાકાત કરી શકે છે. તેમણે રાષ્ટ્રપતિની મુલાકાત માટે સમય પણ માંગ્યો છે.












Click it and Unblock the Notifications
