Rahul Gandhi On Kangana Ranaut : ખેતી કાયદાને લઈને કંગનાના નિવેદન પર નરેન્દ્ર મોદી માફી માંગે-રાહુલ ગાંધી
Rahul Gandhi On Kangana Ranaut : ખેડૂત વિરોધી પાર્ટી હોવાના આરોપોનો સામનો કરી રહેલી બીજેપી માટે કંગના રનૌતે મુશ્કેલી વધારી છે. કંગના રનૌતે ખેતી કાયદા પાછા લાવવાની વાત કરીને વિવાદ છેડ્યો છે.
પોતાના બકવાસ નિવેદનો માટે ફેમસ કંગના રનૌત સતત બીજેપી માટે મુશ્કેલી વધારનારા નિવેદનો આપી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પણ કંગનાએ કઈંક આવુ જ કર્યુ છે.

હાલમાં જ કંગના રનૌતે કહ્યું હતું કે ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ અને ખેડૂતોએ પોતે જ તેની માંગ કરવી જોઈએ. કંગનના આ નિવેદનનો ભાજપની સહયોગી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. બીજી તરફ હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પાસે માફીની માંગણી કરી છે.
કંગના રનૌતના નિવેદન પર રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારની નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી?
રાહુલ ગાંધીએ કહ્યું કે, 700થી વધુ ખેડૂતોની શહાદત પછી પણ હરિયાણા અને પંજાબના ખેડૂતોથી ભાજપના લોકો સંતુષ્ટ નથી. ઈન્ડિયા ગઠબંધન અમારા અન્નદાતા વિરુદ્ધ બીજેપીનું એકપણ ષડયંત્ર સફળ નહીં થવા દે. જો ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે કોઈ પગલું લેવામાં આવશે તો મોદીજીએ ફરીથી માફી માંગવી પડશે.
બીજી તરફ કંગનાના નિવેદનને લઈને બીજેપીએ હાથ ખંખેરી લીધા છે. બીજેપીએ કહ્યું કે, આ તેનું અંગત નિવેદન છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.












Click it and Unblock the Notifications
