પંજાબના નવા મુખ્યમંત્રીને રાહુલ ગાંધીની સલાહ, જાણો શું કહ્યું?
કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ચન્નીને અભિનંદન આપતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ચરણજીત સિંહ ચન્નીને તેમની નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન.
કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ચન્નીને અભિનંદન આપતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ચરણજીત સિંહ ચન્નીને તેમની નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે રાહુલ ગાંધીએ નવનિયુક્ત મુખ્યમંત્રીને જનતા માટે કામ કરવાની અને વચનો પૂરા કરવાની સલાહ પણ આપી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, અમે પંજાબના લોકોને આપેલા વચનો પૂરા કરવાના છે. તેમનો વિશ્વાસ અમારા માટે શ્રેષ્ઠ છે. રાહુલ ગાંધીએ એક રીતે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર તરફ પણ ઈશારો કરીને વચનો પૂરા કરવાની વાત કરી છે. અમરિંદર સિંહ આક્ષેપોનો સામનો કરી રહ્યા હતા કે તે 2017 માં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરી શક્યા નથી.

આ દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તે સોમવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી બનશે. તે રામદાસિયા શીખ સમુદાયના છે. રાજ્યપાલને મળવા બહાર આવેલા ચન્નીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે અમારો દાવો રજૂ કર્યો છે. પાર્ટીના ધારાસભ્યોએ એક મતદાન કર્યું છે અને તે પત્ર રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસ પાર્ટીના ત્રીજી વખતના ધારાસભ્ય છે અને રાજ્યમાં પાર્ટી દ્વારા દલિતને મુખ્યમંત્રી બનાવાયા હોય તેવી પ્રથમ ઘટના છે. ચન્ની તેમની દોષ રહિત રાજકીય કારકિર્દી માટે જાણીતા છે. અગાઉ તેમણે રાજ્યમાં વિપક્ષના નેતાની ભૂમિકા પણ ભજવી હતી. અત્યારે તે કેપ્ટન અમરિંદર સિંહના મંત્રીમંડળમાં ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કામ સંભાળી રહ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
