10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરીશુ: રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે.

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે. આ સભા મંદસોરમાં પીપલીયા મંડીમાં થશે. કોંગ્રેસ ઘ્વારા આ સભાનું નામ 'કિસાન સમૃદ્ધ સંકલ્પ રેલી' રાખવામાં આવ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે ઈલેક્શન થવા જઈ રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધી ઘ્વારા યોજવામાં આવી રહેલી રેલી કોંગ્રેસ માટે ખુબ જ અગત્યની છે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે.

rahul gandhi

Jun 06, 2018, 3:33 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા મોટા લોકો સાથે, સૂટ બુટના લોકો સાથે મિટિંગ કરે છે. પરંતુ ગરીબ ખેડૂતોની સમસ્યા પર બોલવા માટે તેમની પાસે એક પણ શબ્દ નથી: રાહુલ ગાંધી
Jun 06, 2018, 3:11 pm IST

નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ આ કામ નહીં કરી શકે, કમલનાથ અને સિંધિયા આ કામ કરી શકે છે: રાહુલ ગાંધી
Jun 06, 2018, 3:10 pm IST

મારુ સપનું છે કે 5-7 વર્ષ પછી જયારે અમે અહીં આવીયે ત્યારે પોતાના ફોન પર જોઈએ તો તેના પર મેડ ઈન મંદસોર લખેલું હોય: રાહુલ ગાંધી
Jun 06, 2018, 3:07 pm IST

અમે આખા મધ્યપ્રદેશમાં ફૂડ ચેન બનાવીશુ, અમે તમારા ખેતરને ફૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડીશુ. ફૂડ પ્રોસેસિંગ યુનિટ ઘ્વારા અમે ખેડૂતના બાળકોને રોજગાર આપીશુ: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:41 pm IST

મોદી સરકાર અમીરોને લોન આપે છે પરંતુ ખેડૂતોનું દેવું માફ નથી કરતી: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:40 pm IST

પીએમ મોદી અને શિવરાજ સિંહ ચૌહાણ ફક્ત વાતો કરે છે પરંતુ ખેડૂતો માટે કઈ જ નથી કરતા: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:37 pm IST

જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો, જે લોકોએ ખેડૂતો પર ગોળીઓ ચલાવી હતી તેમની સામે 10 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:34 pm IST

જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસની અંદર કોંગ્રેસ સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:32 pm IST

આજે ખેડૂત પોતાની હક માંગી રહ્યો છે, આત્મહત્યા કરવા માટે મજબુર બન્યો છે. મોદી સરકાર પાસે ખેડૂતો માટે સમય નથી: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:32 pm IST

ભાજપના કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના દિલમાં ખેડૂતો માટે કોઈ જ જગ્યા નથી: રાહુલ ગાંધી
Jun 06, 2018, 2:31 pm IST

મંદસોર ગોલીકાંડના એક વર્ષ પછી પણ જાંચ આયોગની કોઈ રિપોર્ટ નથી આવી. શહીદ ખેડૂત પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે. પરિવારજનો ને ગુમાવવાનું દર્દ હું જાણું છું: રાહુલ ગાંધી
Jun 06, 2018, 10:55 am IST

ગોલી કાંડમાં માર્યા ગયેલા અભિષેકના માતાપિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રશાશન તેમને રાહુલ ગાંધી સાથે નહીં મળવા માટે ધમકી આપી રહ્યું છે.
Jun 06, 2018, 10:12 am IST

રાહુલ ગાંધીની રેલી માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, લગભગ 50 પોલીસ અધિકારી, સુરક્ષા ટીમની 5 કંપનીઓ, 600 કરતા પણ વધારે જવાનો હાજર છે.
Jun 06, 2018, 10:05 am IST

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘ્વારા રાહુલ ગાંધીની રેલી વિશે જણાવ્યું કે તેઓ ઈલેક્શન ની ઉપજ કાપવા આવી રહ્યા છે.
Jun 06, 2018, 10:04 am IST

રાહુલ ગાંધીની રેલીમાં 6 જૂન 2017 દરમિયાન જે ખેડૂતોની મૌત થઇ હતી તેમના પરિવારને રેલીમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X