રાહુલ ગાંધીઃ પીએમ મોદીમાં છાત્રો સામે ઉભા રહેવાની હિંમત નથી
રાહુલ ગાંધીએ હાલમાં જ જેએનયુમાં થયેલી હિંસા માટે નિશાન સાધ્યુ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચેલેન્જ આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ યુનિવર્સિટીમાં જાય અને છાત્રોના સવાલોના જવાબ આપે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ જેએનયુમાં થયેલી હિંસા માટે નિશાન સાધ્યુ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચેલેન્જ આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ યુનિવર્સિટીમાં જાય અને છાત્રોના સવાલોના જવાબ આપે. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવાનોની સમસ્યાનુ સમાધાન કરવાના બદલે નરેન્દ્ર મોદી રાષ્ટ્રને વિચલિત કરવા અને લોકોને વિભાજિત કરવાની કોશિશ કરી રહ્યા છે. યુવાનોનો અવાજ યોગ્ય છે તેને દબાવવો જોઈએ નહિ. સરકારે આને સાંભળવો જોઈએ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની સ્થિતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીમાં એટલી હિંમત નથી કે તે પ્રદર્શન કરી રહેલા છાત્રો સામે ઉભા રહી શકે. હું તેમને ચેલેન્જ આપુ છુ કે યુનિવર્સિટીમાં જાવ અને મુદ્દાઓ પર વાત કરો.
વિપક્ષની બેઠક ખતમ થયા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યુ કે સમાન વિચારોવાળી 20 રાજકીય પાર્ટીઓ સાથે દિલ્લીમાં બેઠક થઈ અને દેશના રાજકીય હાલતની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યુ કે બેઠકમાં મોદી સરકારની જનવિરોધી નીતિઓ સામે લડવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યા.
આ પણ વાંચોઃ ફિલ્મ 'છપાક'થી પ્રભાવિત ઉત્તરાખંડ સરકાર એસિડ એટેક પીડિતાઓને આપશે પેન્શન