રાહુલે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારવા પર ઉઠાવ્યા સવાલ, 'આ તો ભાવ ઘટાડવાનો સમય'
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્ર સરકારા પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ કિંમત વધારવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્ર સરકારા પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ કિંમત વધારવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે મહામારીના કારણે લોકો પહેલેથી જ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. એવામાં આ નિર્ણય બિલકુલ અસ્વીકાર્ય છે તેને પાછો લેવો જોઈએ. રાહુલે બુધવારે ટ્વિટ કરીને આ વાત કહી છે.
|
ચિદમ્બરમ, પ્રિયંકાએ પણ ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પણ આ વિશે સવાલ કર્યા છે. ચિદમ્બરમે કહ્યુ કે નવા કે ઉચ્ચ કર પરિવારોને કંગાળ બનાવી દેશે. જ્યારે આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હોય તો સરકારોએ પોતાનુ નુકશાન પૂરુ કરવા માટે ઉધાર લેવુ જોઈએ, ઉચ્ચ કરનો બોજ ન આપવો જોઈએ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે પેટ્રોલના ભાવોમાં ભારે ઘટાડાનો ફાયદો જનતાને મળવો જોઈએ પરંતુ ભાજપ સરકાર વારંવાર એક્સાઈઝ ડ્યુટી વધારીને જનતાને મળનાર બધો ફાયદો પોતાની સૂટકેસમાં ભરી લે છે. ઘટાડાનો ફાયદો જનતાને નથી મળી રહ્યો અને જે પૈસા ભેગા થઈ રહ્યા છે તેને પણ મજૂરો, મધ્યમ વર્ગ, ખેડૂતો કે ઉદ્યોગોની મદદ નથી થઈ રહી.
શું છે સરકારનો નિર્ણય
કેન્દ્ર સરકારે મંગળવારે રાતે પેટ્રોલ ઉત્પાદ કિંમત 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી દીધો છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સંક્રમણના કારણે માંગ ન હોવાના કારણે પેટ્રોલની કિંમતો ઘણી ઘટી છે પરંતુ ભારત સરકારે ટેક્સ વધારી દીધો છે, જેનાથી ભાવ વધી ગયા છે. આના પર વિપક્ષી દળોએ સરકારને ઘેરી છે.
ચિદમ્બરમ અને પ્રિયંકાએ પણ ઉઠાવ્યા સવાલ
પેટ્રોલના ભાવ વધારવા વિશે ચિદમ્બરમે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યુ કે ઉચ્ચ કર લાગુ કરવાના કામ એ વખતે ન કરવુ જોઈએ જ્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હોય. ચિદમ્બરમે બુધવારે કરેલા ટ્વિટમાં કહ્યુ કે, 'નવા કે વધુ ટેક્સ આવનારા સમયમાં ઘણા પરિવારોને નષ્ટ કરી દેશે. તેમણે કહ્યુ, જ્યારે સરકારની આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જાય, તો સરકારોએ પોતાનુ નુકશાન પૂરુ કરવા માટે ઉધાર લેવુ જોઈએ, ઉચ્ચ કર બોજ લગાવવો જોઈએ.'
આ પણ વાંચોઃ BoysLockerRoom: વાયરલ ચેટથી બૉલિવુડથી ચોંક્યુ, આ રીતે કર્યુ રિએક્ટ