Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું - ટેલિપ્રોમ્પટર પણ વડાપ્રધાનનું જુઠ્ઠાણું સહન ન કરી શક્યું

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ પક્ષ-વિપક્ષ વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે.

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ પક્ષ-વિપક્ષ વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. મંગળવારના રોજ ફરી એકવાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સૌથી વધુ ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને એટલું જૂઠું બોલ્યા કે, ટેલિપ્રોમ્પટર પણ સહન ન કરી શક્યું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીનું આ નિવેદન ઈકોનોમિક ફોરમની દાવોસ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરમાં ખરાબી પછી આવ્યું છે.

વડાપ્રધાન મોદીને તેમના સંબોધનની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું

વડાપ્રધાન મોદીને તેમના સંબોધનની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ વિશ્વ આર્થિક મંચના દાવોસ એજન્ડા સમિટને પાંચ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ઓનલાઈન સંબોધન કર્યું હતું, જેમાંઅન્ય ઘણા વૈશ્વિક નેતાઓ જોડાયા હતા. જેઓ 2022 માં વિશ્વની સ્થિતિ માટે તેમના વિઝનને શેર કરશે.

આ દરમિયાન સંબોધન દરમિયાન જ તેમની સામે સ્થાપિતટેલિપ્રોમ્પ્ટર ખરાબ થઈ ગયું, જેમાં તેઓ તેમનું ભાષણ વાંચી રહ્યા હતા.

વડાપ્રધાન મોદીને તેમના સંબોધનની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું, જો કે થોડા સમય પછીતેમણે ફરી પોતાની વાત શરૂ કરી.

નરેન્દ્ર મોદી પોતાની રીતે બોલી શકતા નથી

ત્યારથી આ વાક્ય ટ્વિટર પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં ઘણા વિરોધ પક્ષો અને નેતાઓએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

મંગળવારના રોજ રાહુલગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યા બાદ એક યુઝરે એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રાહુલ ગાંધી મીડિયાને પોતાના જૂના નિવેદનમાંકહેતા જોવા મળી રહ્યા છે કે, 'નરેન્દ્ર મોદી પોતાની રીતે બોલી શકતા નથી'. તે ટેલિપ્રોમ્પ્ટરથી વાંચે છે જે નિયંત્રક દ્વારા સંચાલિત થાય છે.'

દાવોસ એજન્ડા સમિટમાં કર્યું સંબોધન

ઉલ્લેખનીય છે કે, દાવોસ એજન્ડા સમિટમાં તેમના વિશેષ સંબોધન દરમિયાન, વડાપ્રધાન મોદીએ દેશની પૂર્વનિર્ધારિત કરવેરા સમસ્યાને દૂર કરવા માટે તેમનાવહીવટી તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલા સુધારાઓની રૂપરેખા આપી હતી.

તેમણે તેમની સરકારના એસેટ મોનેટાઈઝેશનના પ્રયાસો અને ભારતમાં ચાલી રહેલા મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X