મજૂરો મૃત્યુ સામે લડી રહ્યા છે અને મોદીજી બ્રિજ પર ફોટા પડાવવામાં વ્યસ્ત છેઃ રાહુલ ગાંધી
મજૂરો મૃત્યુ સામે લડી રહ્યા છે, મોદીજી ફોટા પડાવે છેઃ રાહુલ
નવી દિલ્હીઃ મેઘાલયની એક કોલસા ખાણમાં ફસાયેલ 15 મજૂરોની જિંદગી પર સતત સંકટના વાદળાં મંડરાઈ રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાણમાં ફસાયેલ શ્રમિકોને બચાવવા માટે પીએમ મોદીને અપીલ કરતાં મોદી પર હુમલો બોલ્યો છે. મેઘાલયના જયંતિયા હિલ્સમાં કોલસા ખાણમાં 15 મજૂરો ફસાયા છે. જેના પર રાહુલની સાથોસાથ કોંગ્રેસ પાર્ટીએ પણ ભાજપ પર બુમલો બોલ્યો છે. રાહુલે સરકારની લાપરવાહીને લઈ આકરા પ્રહાર કર્યા છે. બીજી બાજુ મજૂરોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલ રેસ્ક્યૂ ઓપરેશન પણ રોકી દેવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીનો પ્રહાર
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે , 15 મજૂરો પૂરને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી કોલસાની ખાણમાં ફસાયેલ છે. જે સમયે પીએમ મોદી બોગીબીલ પુલનું ઉદ્ધાટન કરીને કેમેરામાં પોઝ આપી રહ્યા હતા, ત્યારે એમની સરકારે બચાવ કાર્ય માટે વધુ પ્રેશર વાળા પંપની વ્યવસ્થા કરવાની ના પાડી દીધી હતી. પીએમ મોદી કૃપિયા મજૂરોને બચાવી લો.

સુરજેવાલાએ પણ પ્રહાર કર્યો
જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું, 11 દિવસથી 15 મજૂરો મેઘાલયના જયંતિયા હિલ્સમાં મુશ્કેલ હાલાતમાં ફસાયેલ છે. પાણી કાઢવાનું કામ તત્કાળ તેજ કરવું જોઈએ. દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. પરંતુ મોદી સરકાર તરફથી મોડેથી પ્રતિક્રિયા કરવામાં આવી. મજૂરોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.

શું છે ઘટના
જણાવી દઈએ કે 13 ડિસેમ્બરે કોલસાની ખાણમાં થયેલ અચાનક ભૂસ્ખલનથી 15 મજૂરો ફસાઈ ગયા હતા, જેમને હજુ સુધી કાઢી શકાયા નથી. એનડીઆરએફ તરફથી પર્યાપ્ત સામાન ન હોવાની વાત કહેવામાં આવી છે. જેને પગલે ખાણમાં ફસાયેલ 15 લોકોને બચાવવાનું કાર્ય સોમવારે અસ્થિર રીતે રોકી દેવામાં આવ્યું છે. જ્યારે સામાજિક કાર્યકર્તા સંજોય હજારિકાએ આરોપ લગાવ્યો છે કે આ સંકટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારની પોલ ખોલી નાખી છે. એનડીઆરએફ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એકલી છોડીને ચાલી ગઈ છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
