રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, બોલ્યા- સચ્ચાઇ માટે કોઇ પણ કિંમત ચુકવવા તૈયાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આખરે શનિવારે નવી દિલ્હીમાં 12 તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું. સત્તાવાર બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.
હું ભારતના લોકોનો આભાર માનું છું, જેમણે મને 19 વર્ષ સુધી આ ઘર આપ્યું. 10, જનપથ (સોનિયા ગાંધીના નિવાસસ્થાન) પર થોડો સમય રોકાશે, મુદ્દા ઉઠાવતા રહીશું.

માનહાનિના એક કેસમાં સુરતની એક કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ જગ્યા ખાલી કરવી પડી હતી. આ બંગલો લોકસભા સચિવાલયને સોંપવામાં આવ્યો છે. 14 એપ્રિલે જ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને કેટલીક ઘરવપરાશની વસ્તુઓ શિફ્ટ કરી હતી.
VIDEO | "People of India gave this house to me for 19 years and I want to thank them. This is the price for speaking the truth and I am ready to pay that price," says Congress leader Rahul Gandhi after leaving his official residence in Delhi following his disqualification as MP. pic.twitter.com/Hy8rjvQSPb
— Press Trust of India (@PTI_News) April 22, 2023
ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીના બંગલાની ચાવી લોકસભા સચિવાલયને સોંપતી વખતે કોંગ્રેસ મહાસચિવ અને બહેન પ્રિયંકા ગાંધી અને માતા સોનિયા ગાંધી હાજર હતા. પ્રિયંકાએ કહ્યું કે ભાઈએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તેથી તેની સાથે આ બધું થઈ રહ્યું છે. તે ખૂબ બહાદુર છે, હું ભાઈ સાથે છું.
શું છે મામલો?
2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચેલા રાહુલ ગાંધીને 23 માર્ચે સુરતની કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જે બાદ તેને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના કારણે તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા. આવી સ્થિતિમાં, લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં સત્તાવાર બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
