Rajasthan Cough Syrup Deaths : રાજસ્થાનમાં કફ સિરપથી 9 બાળકોના મોત, તપાસના આદેશ
Rajasthan Cough Syrup Deaths : રાજસ્થાનના સીકર અને ભરતપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં સરકારી હોસ્પિટલોમાંથી અપાયેલ કફ સિરપ નવ માસૂમ બાળકોના મૃત્યુનું કારણ બની છે.
આ સિરપ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી નિ:શુલ્ક દવા યોજના હેઠળ મફતમાં વહેંચવામાં આવી હતી.

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ જેનરિક કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી, જેના કારણે 9 બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં દવાની ગુણવત્તા અને વિતરણ પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહે આ ગંભીર મામલાની નોંધ લીધી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આ અંગે તત્કાળ કાર્યવાહી કરવા માટે જયપુર પહોંચશે. સરકારે ઘટના પર દુઃખ વ્યક્ત કરીને તપાસનું આશ્વાસન આપ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા ડ્રગ કંટ્રોલર દ્વારા તાત્કાલિક અસરથી આ સિરપના વિતરણ અને ઉપયોગ પર રોક લગાવી દેવામાં આવી છે. શંકાસ્પદ બેચના નમૂનાઓને આગળની તપાસ અને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ગેરરીતિ સામે સરકારે પગલાં લેતા આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે.
જે કફ સિરપના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે, તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ડેક્સ્ટ્રોમેથૉર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ હતી, જે સરકારી આરોગ્ય કેન્દ્રો પર નિઃશુલ્ક આપવામાં આવતી હતી.
અહેવાલ અનુસાર, સિરપ પીધા બાદ માત્ર બાળકો જ નહીં પરંતુ એક બાળકને તપાસનાર હોસ્પિટલના ડોક્ટરે પણ આ સિરપનો સ્વાદ ચાખ્યો હતો, જેના કારણે તેમની તબિયત પણ બગડી હતી.
આ કફ સિરપની નબળી ગુણવત્તાનો આ પહેલો કિસ્સો નથી. મધ્ય પ્રદેશના છીંદવાડા જિલ્લામાં પણ આ પ્રકારની કફ સિરપના ઉપયોગને કારણે 6 બાળકોના મોત થયા હોવાના અહેવાલો છે, જે દર્શાવે છે કે સમગ્ર દેશમાં કફ સિરપની ગુણવત્તા શંકાના દાયરામાં છે.
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટનાને સરકારની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું છે. કોંગ્રેસે મૃતક બાળકોના પરિવારો માટે ન્યાયની માંગ કરી છે અને સરકારને જવાબદાર ઠેરવવાની માગણી કરી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
