રાજસ્થાન ચૂંટણીઃ મતદાન વચ્ચે સીએમના ચહેરા અંગે શું બોલ્યા સચીન પાયલટ
રાજસ્થાન કોંગ્રેસે સીએમ પદ માટે કોઈના નામનું એલાન કર્યુ નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે શુક્રવારે આ અંગે વાત કરી.
રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે એકવાર ફરીથી વસુંધરા રાજે પર ભરોસો વ્યક્ત કર્યો છે જ્યારે કોંગ્રેસે સીએમ પદ માટે કોઈના નામનું એલાન કર્યુ નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે શુક્રવારે આ અંગે વાત કરી.

સચિન પાયલટે કહ્યુ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ અમે બધા બેસીને આ અંગે વાત કરીશુ. રાજસ્થાનમાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું એલાન કર્યુ નથી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ આ દરમિયાન સામે આવ્યુ છે. પાર્ટીએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સીએમના ચહેરાનું એલાન કરવાની વાત કરી છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી રહી છે અને પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે તે બહુમત મેળવવામાં સફળ રહેશે. બીજી તરફ વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપ રાજસ્થાનમાં પોતાની જીત ફરીથી મેળવવા માટે તમામ રણનીતિ અપનાવતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
