રાજ્યસભા ચુંટણી: ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, સિંધિયાનું નામ સામેલ
આગામી 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે રાજકીય સરગર્મી તેજ થઈ ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો મધ્યપ્રદેશમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ તેમના પદેથી રાજીના
આગામી 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે રાજકીય સરગર્મી તેજ થઈ ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો મધ્યપ્રદેશમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ તેમના પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતી વખતે સિંધિયાને પાર્ટીએ ભેટ આપી હતી અને આગામી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદીમાં તેમનું નામ શામેલ કર્યું હતું.
આ અંગે એક અખબારી એડ ભાજપ દ્વારા આપવામાં આવી છે. જેમાં એમ કહેવાય છે કે ગઈકાલે ભાજપની સેન્ટ્રલ કમિટીની બેઠક જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના અન્ય સભ્યો શામેલ હતા. અહીં મહત્વની વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ પર ગઈકાલે એટલે કે 10 માર્ચે મહોર લાગી હતી. જે બાદ સિંધિયા દ્વારા આજે ભાજપમાં જોડાયા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભા માટેના તમામ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપમાં આસામના ભુવનેશ્વર કાલિતા, બિહારથી વિવેક ઠાકુર, ગુજરાતના અભય ભારદ્વાજ, ગુજરાતના રમીલાબેન બારા, મણિપુરના લીસેનબા મહારાજા, મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના ઉદ્યણા રાજે ભોંસલે, રાજસ્થાનના રાજેન્દ્ર ગેહલોટના નામની ઘોષણા કરી છે. જ્યારે તેણે મહારાષ્ટ્ર અને આસામની 1-1 બેઠકો તેના સાથીઓને આપવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ મહારાષ્ટ્રના રામદાસ આઠવલે અને આસામથી બુસવાજિત ડાયરીના નામની ઘોષણા કરી છે.
આ પણ વાંચો: MP: બાગી વિધાયકોને લઇને શિવકુમારે આપ્યું નિવેદન, કોઈ પણ ધારાસભ્ય તેમનું સભ્યપદ ગુમાવવા માંગતા નથી