મહામારી વચ્ચે બજેટ સત્ર સુરક્ષિત બનાવવાની કવાયત, રાજ્યસભાના 50 ટકા કર્મચારીઓને WFH
મહામારી વચ્ચે બજેટ સત્ર સુરક્ષિત બનાવવાની કવાયત, રાજ્યસભાના 50 ટકા કર્મચારીઓને WFH
આખા દેશમાં કોરોનાવાયરસ મહામારીનો કહેર યથાવત છે. રવિવારે બીજા દિવસે સતત દોઢ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ મહિનાના અંતમાં સંસદનું બજેટ સત્ર પણ શરૂ થશે, જેને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મહામારી વચ્ચે સત્રને સુરક્ષિત રીતે કરાવવું પડકારજનક છે. જેને જોતાં રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ એક બેઠક કરી હતી. જેમાં સદનના 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાના નિર્દેશ આપ્યા છે.

ન્યૂજ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ વધતા કોવિડ મામલાને જોતાં રાજ્યસભા સચિવાલયે કર્મચારીઓની ઉપસ્થિતિને પ્રતિબંધિત કરી દીધી છે. નવા નિર્દેશો મુજબ અવર સચિવ/ કાર્યકારી અધિકારીના પદેથી નીચેના 50% અધિકારીઓ અને કર્મચારીઓને આ મહિનાના અંત સુધી વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે. ખુદ સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ સમીક્ષા બેઠક બાદ આ નિર્દેશ આપ્યા છે.
સચિવાલય મુજબ આ મહિનાના અંતમાં બજેટ સત્ર શરૂ થશે, જે દેશ માટે ઘણું મહત્વનું છે. મુશ્કેલ હાલાતમાં પણ આ ટાળી ના શકાય. એવામાં કોશિશ કરવામાં આવી રહી છે કે સત્ર શરૂ થાય ત્યાં સુધી તમામ કર્મચારી અને અધિકારી સુરક્ષિત રહે. જે કારણે આ ફેસલો લેવામાં આવ્યો છે. જ્યારે વિકલાંગ અને ગર્ભવતી મહિલાઓને કાર્યાલયમાં આવવાથી છૂટ આપવામાં આવી છે. ભીડભાડથી બચવા માટે સચિવાલય શરૂ અને બંધ થવાનો સમય અલગ અલગ છે. હવે જેટલી પણ બેઠકો થશે તે સંપૂર્ણપણે વર્ચ્યૂઅલી થશે.
1 ફેબ્રુઆરીએ આવે છે બજેટ
જણાવી દઈએ કે પહેલાં રેલવે બજેટ અને જનરલ બજેટ અલગ અલગ રજૂ થતાં હતાં, પરંતુ મોદી સરકારે હવે બંને બજેટ એક કરી દીધાં છે. આ ઉપરાંત પહેલાં બજેટ રજૂ થવાની તારીખ સત્રના હિસાબે નક્કી કરાતી હતી, પરંતુ હવે આના માટે 1 ફેબ્રુઆરીનો દિવસ નક્કી થયો છે. દર વર્ષે આ તારીખે જ બજેટ રજૂ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
