Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આર્ટિકલ 370: રામ માધવે જણાવ્યુ, કાશ્મીરમાં હજુ કેટલા લોકો છે કસ્ટડીમાં

ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાનો ડર હતો એટલા માટે ત્યાં ઘણા લોકોને નજરબંધ રાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાનો ડર હતો એટલા માટે ત્યાં ઘણા લોકોને નજરબંધ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આ નજરબંધ કરાયેલ લોકોની સંખ્યા બહુ ઓછી છે, રાજ્યમાં માત્ર 200થી 250 લોકોને જ નજરબંધ કરવામાં આવ્યા છે.

માત્ર 200થી 250 લોકો જ પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં - રામ માધવ

માત્ર 200થી 250 લોકો જ પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં - રામ માધવ

તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં લગભગ 2000થી 2500 લોકો પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં હતા પરંતુ હવે માત્ર 200થી 250 લોકો જ પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં છે. રામ માધવે કહ્યુ કે કાશ્મીરમાં જે લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે તેમને સમ્માનજનક રીતે રાખવામાં આવ્યા છે. ઘણા લોકો 5 સ્ટાર હોટલો અને ગેસ્ટ હાઉસમાં છે, જ્યાં તેમની સુવિધાઓનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. ભાજપ મહાસચિવે કહ્યુ કે છેલ્લા બે મહિનામાં શાંતિનો માહોલ છે. આ જોઈને તમે સમજી શકો છો કે કાશ્મીરની સામાન્ય જનતા શું ઈચ્છે છે અને નજરબંધ કરાયેલા આ 200-250 લોકો શું ઈચ્છે છે.

પૂરા સમ્માન સાથે રાખવામાં આવ્યા છે આ લોકોને - રામ માધવ

પૂરા સમ્માન સાથે રાખવામાં આવ્યા છે આ લોકોને - રામ માધવ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ત્યાં અધિક સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 5 ઓગસ્ટથી જ રાજ્યના ઘણા નેતાઓને નજરબંધ કરી લેવામાં આવ્યા છે જેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને એનસીના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા પણ શામેલ છે. વળી, આર્ટિકલ 370 હટાવવા અને નેતાઓને નજરબંધ કરાવવા અંગે વિપક્ષી દળ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. વિપક્ષી દળની માંગ છે કે ઘાટીમાંથી સુરક્ષાબળોને હટાવવા અને નજરબંધ કરાયેલા નેતાઓને મુક્ત કરવામાં આવે.

24 ઓક્ટોબરે થશે બીડીસીની ચૂંટણી

24 ઓક્ટોબરે થશે બીડીસીની ચૂંટણી

વળી, આ કડકાઈ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં બ્લૉક ડેવલપમેન્ટ ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં 316માંથી 310 બ્લૉક્સ પર મતદાન 24 ઓક્ટોબરે થશે. રાજ્યમાં બધા બ્લૉક પર મતદાન સવારે 9 વાગે શરૂ થશે અને બપોરે એક વાગ્યા સુધી મતદાન કરી શકશે. ત્યારબાદ મતોની ગણતરી બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે જ પરિણામોની ઘોષણા કરી દેવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X