Ram Mandir : નિમંત્રણ મળવા છત્તા પણ આટલા લોકો અયોધ્યા ન પહોંચ્યા, જુઓ પુરૂ લિસ્ટ
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન થઈ ગયુ છે. ઉદ્ધાટન સમારોહમાં ઘણા મોટા નેતાઓ અને વીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આમાંથી ઘણા લોકો અયોધ્યા નથી પહોંચ્યા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈને લગભગ 7 હજાર લોકોને આમંત્રણ મોકલ્યા હતા.

ઘણા રાજનેતાઓ અને અન્ય સેલિબ્રિટીઓ આમંત્રણ હોવા છતાં કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. આમાં પહેલું નામ લાલકૃષ્ણ અડવાણીનું છે. તેમને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અતિશય ઠંડીના કારણે તેઓ કાર્યક્રમમાં નથી આવ્યા.
આ સિવાય કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ પણ રામ મંદિરના આ કાર્યક્રમમાં સામેલ નથી થયા. આ યાદીમાં અન્ય ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં એક નામ અક્ષય કુમારનું પણ છે. વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ આજે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી નથી આપી.
અહેવાલો અનુસાર, બંને નેતાઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું પરંતુ ખરાબ હવામાન અને તબિયતના કારણે બંને નેતાઓ કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા.
આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે તેઓ તેમના કેબિનેટની સાથે સાથે રાજ્યના ધારાસભ્યો અને લોકસભા સાંસદોનું નેતૃત્વ કરશે અને પછીથી અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે એટલા માટે તે 22 જાન્યુઆરીએ પ્રતિમા અભિષેક સમારોહમાં ભાગ નથી લઈ રહ્યાં.
અક્ષય કુમાર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી રહ્યો. અક્ષય કુમારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, અક્ષય કુમારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આયોજકોને કહ્યું હતું કે તે ફિલ્મના નિર્માતાઓને આપવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને કારણે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે.
કાર્યક્રમમાં હાજર ન રહેલા સેલિબ્રિટી
મલ્લિકાર્જુન ખડગે
સોનિયા ગાંધી
મનમોહન સિંહ
મમતા બેનર્જી
અરવિંદ કેજરીવાલ
ઉદ્ધવ ઠાકરે
અખિલેશ યાદવ
માયાવતી
લાલુ પ્રસાદ યાદવ
ફારૂક અબ્દુલ્લા
નીતિશ કુમાર
શરદ પવાર
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
