5 હત્યાઓના કેસમાં રામપાલને આજે સજા સંભળાવવામાં આવશે
સતલોક આશ્રમ પ્રકરણમાં ચાર મહિલાઓ અને એક બાળકની હત્યાના કેસમાં આશ્રમ સંચાલક રામપાલ અને તેના દીકરા વીરેન્દ્ર સહીત 15 દોષીઓને હિસાર કોર્ટ ઘ્વારા આજે સજા સંભળાવવામાં આવશે.
સતલોક આશ્રમ પ્રકરણમાં ચાર મહિલાઓ અને એક બાળકની હત્યાના કેસમાં આશ્રમ સંચાલક રામપાલ અને તેના દીકરા વીરેન્દ્ર સહીત 15 દોષીઓને હિસાર કોર્ટ ઘ્વારા આજે સજા સંભળાવવામાં આવશે. આ મામલે હિસાર કોર્ટે સતલોક આશ્રમ સંચાલક રામપાલને દોષી જાહેર કર્યો હતો. કોર્ટે આ મામલે કુલ 23 લોકોને દોષી ગણાવ્યા હતા. ચાર મહિલાઓ અને એક બાળકની મૌત સાથે જોડાયેલા મામલામાં કુલ 15 દોષીઓની સજાનું એલાન કરવામાં આવશે.
બીજી એક મહિલાના મૃત્યુના બીજા કિસ્સામાં, 14 આરોપીઓના ચુકાદાની જાહેરાત 17 ઑક્ટોબરે કરવામાં આવશે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિસાર અને આજુબાજુના વિસ્તારોમાં ચુકાદો આવે તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે. આજે પણ કડક સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. 16 ઓક્ટોબરના રોજ એફઆઈઆર નં. 429 અને એફઆઈઆર નં. 430 પર 17 ઓક્ટોબરે સજા સંભળાવવામાં આવશે. 17 ઓક્ટોબર સુધી આખા વિસ્તારમાં ધારા 144 લાગુ રહેશે અને સુરક્ષાકર્મી પણ હાજર રહેશે.
2006 માં સતલોક આશ્રમની બહાર ફાયરિંગમાં એક યુવાન માણસનું મોત થયું હતું. આ કિસ્સામાં, હિસાર કોર્ટમાં રામપાલને હાજર થવાનું હતું, જ્યાં રામપાલના સમર્થકો ઘ્વારા હંગામો કરવામાં આવ્યો. આ પછી, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રામપાલ સામે ગેર જમાનતી વોરંટ જાહેર કર્યું. બે તારીખો આપ્યા પછી પણ, રામપાલ હાઇ કોર્ટમાં હાજર નહોતા થયા. પાછળથી, પોલીસે કોર્ટના ઠપકો પરની કાર્યવાહી શરૂ કરી. 19 નવેમ્બર, 2014 ના રોજ, 56 કલાક ઓપરેશન પછી, રામપાલે આત્મસમર્પણ કર્યું. આ બનાવમાં છ લોકો માર્યા ગયા હતા.