રેપકાંડમાં ફસાયેલા રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગરે આપ્યું રાજીનામું
જયપુર, 19 સપ્ટેમ્બર: એક મહિલા સાથે બળાત્કારના આરોપી રાજસ્થાનના રાજ્ય મંત્રી બાબુલાલ નાગરે રાજીનામું આપી દિધું છે. તેમને પોતાનું રાજીનામું અશોક ગેહલોતને મોકલી દિધું છે. તેમને રાજીનામા બાદ કહ્યું હતું કે હું નૈતિકતાના ધોરણે રાજીનામું આપું છું, જેથી નિષ્પક્ષ તપાસ થઇ શકે. બાબુલાલ નાગરે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને અને પાર્ટીને બદનામ કરવા માટે કાવતરું ઘડ્યું છે, તેમને નિષ્પક્ષ તપાસ અને પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે.
જયપુરની એક મહિલાએ બાબુલાલ નાગર પર આરોપ લગાવ્યો છે કે ગત 11 સપ્ટેમ્બરના રોજ પોતાના સરકારી આવાસ પર તેમને તેની સાથે છેડતી, મારપીટ અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિયાનો દાવો છે કે 11 સપ્ટેમ્બરના રોજ જ્યારે રાજ્યમંત્રી બાબુલાલ નાગરે પોતાના સરકારી આવાસ પર દુષ્કર્મ આચર્યું ત્યારે આ કપડાં પહેર્યા હતા.

પીડિતાએ કોર્ટમાં કેફિયત રજૂ કરી રાજ્યમંત્રી બાબુલાલ નાગર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કેફિયત પર સુનાવણી કરી સોડાલા પોલીસ મથકને બાબુલાલ નાગર વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ પર સોડાલા પોલીસ મથકે ગઇકાલે બાબુલાલ નાગર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સોડાલા પોલીસે આ કેસ સીઆઇડી સીબીને તપાસ માટે મોકલી દિધો છે.












Click it and Unblock the Notifications
