For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 90% ને પાર, 24 કલાકમાં 2.11 લાખ કેસ, 2.83 લાખ સાજા થયા

કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 90% ને પાર, 24 કલાકમાં 2.11 લાખ કેસ, 2.83 લાખ સાજા થયા

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 2,11,298 નવા કેસ મળ્યા છે, જ્યારે આ દરમિયાન 3847 દર્દીઓના મોત થયાં છે. જ્યારે પાછલા એક દિવસમાં કોરોનાવાયરસના 2,83,135 દર્દી સાજા થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોનાવાયરસના કેસ વધીને 2 કરોડ 73 લાખ 69 હજાર 93 થ ગયા છે અને સાજા થનાર દર્દીની સંખ્યા 2 કરોડ 46 લાખ 33 હજાર 951 થઈ ગઈ છે. કોરોનાવાયરસને કારણે અત્યાર સુધી 3,15,235 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

coronavirus

રિકવરી રેટ વધીને 90 ટકા થયો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ સતત તેજીથી સાજા થઈ રહેલા કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 90 ટકાથી ઉપર ચાલ્યો ગયો છે. જ્યારે કોરોનાવાયરસના પોઝિટિવિટી રેટમાં પણ ગિરાવટ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ હાલ કોરોનાવાયરસનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10.93 ટકા છે. જ્યારે કોરોનાના દૈનિક પોઝિટિવિટી રેટ 9.79 ટકા છે, જે સતત ત્રીજા દિવસે 10 ટકાથી નીચે નોંધાયો છે.

એક્ટિવ કેસ ઘટીને 24,19,907 થયા

રિકવરી રેટ વધાના કારણે દેશમાં હવે કોરોનાવાયરસના એક્ટિવ કેસ ઘટીને 24 લાખ 19 હજાર 907 થઈ ગયા છે. પાછલા એક દિવસમાં કોરોનાવાયરસના એક્ટિવ મામલામાં 75668ની ગિરાવટ આવી છે. આની સાથે જ વિવિધ રાજ્યોમાં કોરોનાવાયરસ સામે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 20 કરોડ 26 લાખ 95 હજાર 874 ડોઝ આપી દેવાયા છે. બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે દેશમાં 26 મે સુધી કોરોનાવાયરસના કુલ 33 કરોડ 69 લાખ 69 હજાર 352 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે, જેમાંથી 21 લાખ 57 હજાર 857 ટેસ્ટ એક દિવસમાં થયા છે.

English summary
recovery rate of coronavirus is above 90 percent says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X