પંજાબ સરકારની હેલ્પલાઈનથી રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસમાં ઘટાડો!

​​પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી સફળતા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ પંજાબ સરકારના અભિયાન હેલ્પલાઈન નંબરને છ મહિના થઈ ગયા છે. આવી સ્થિતિમાં ફરિયાદો એક લાખથી ઘટીને 6000 પર આવી ગઈ છે.

ચંદીગઢ : ​​પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી સફળતા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ પંજાબ સરકારના અભિયાન હેલ્પલાઈન નંબરને છ મહિના થઈ ગયા છે. આવી સ્થિતિમાં ફરિયાદો એક લાખથી ઘટીને 6000 પર આવી ગઈ છે. જે અંગે સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં હેલ્પલાઈનથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે, જેની અસર આંકડાઓ પરથી સ્પષ્ટપણે જોવા મળે છે.

Punjab government

23 માર્ચે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદીના દિવસે ભગવંત માને જાહેરાત કરી હતી કે જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી અથવા નેતા લાંચ માંગે તો 9501 200 200 પર WhatsApp કરો. જે બાદ સરકાર તેની સામે કાર્યવાહી કરશે. સીએમ માનની જાહેરાત બાદ ફફડાટ જોવા મળ્યો હતો. 23 માર્ચથી 30 એપ્રિલ સુધીમાં 2 લાખ 16 હજાર 342 ફરિયાદો નોંધાઈ હતી. ત્યારબાદ એપ્રિલની સરખામણીએ મે મહિનામાં ફરિયાદોની સંખ્યા 50 ટકા ઓછી જોવા મળી હતી.

સરકારની કડકાઈ બાદ હવે સ્થિતિ એવી છે કે દર મહિને લગભગ છ હજાર ફરિયાદો આવી રહી છે. AAPના રાજ્ય સચિવ રાજવિંદ કૌર થિયાડાનું કહેવું છે કે સીએમ ભગવંત માનની સરકારનો એજન્ડા ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. આ જ કારણ છે કે આ હેલ્પલાઈનનો ડર છે. સરકારી કચેરીઓમાંથી પાયાના સ્તરે થતી લાંચને અંકુશમાં લેવામાં આવી છે. ફરિયાદોની સંખ્યા ઓછી થવાનું એક કારણ એ પણ છે કે હવે સરકારી કર્મચારી લાંચ માગતા ડરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X